HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

ભારતમાં સૌથી મોટું જોખમ શું? રિપોર્ટમાં ખુલાસો, 83% ભારતીય દર્દીઓ માટે સંકટ

Avatar photo
Updated: 18-11-2025, 10.41 AM

Follow us:

ભારત “સુપરબગ વિસ્ફોટ”ના કેન્દ્રમાં છે અને તેના માટે તાત્કાલિક નીતિ પરિવર્તન અને એન્ટીબાયોટિક મેનેજમેન્ટ પર રાષ્ટ્રીય સ્તરે આંદોલનની જરૂર છે. આ પરિણામો 18 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી મનાવવામાં આવતા એન્ટીમાઇક્રોબિયલ સ્ટીવર્ડશિપ વીકના અવસર પર જાહેર કરવામાં આવ્યા હતાં. અભ્યાસમાં 4 દેશોના 1,200થી વધુ દર્દીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે, સામાન્ય એન્ડોસ્કોપિક પ્રોસિજર કરાવનારા ભારતીય દર્દીઓમાં MDROની હાજરી અન્ય દેશોની તુલનામાં ઘણી વધારે હતી.

  • એન્ટીબાયોટિક દવાઓ અસરકારક નથી રહી

ભારતમાં 83% દર્દીઓમાં MDRO જોવા મળ્યું, જ્યારે ઈટલીમાં 31.5%, યુનાઇટેડ સ્ટેટ્સમાં 20.1% અને નેધરલેન્ડમાં માત્ર 10.8% દર્દીઓમાં MDRO જોવા મળ્યું, એટલે કે હવે એટલા મોટા પ્રમાણમાં લોકોને સામાન્ય એન્ટીબાયોટિક દવાઓ કારગર સાબિત નહીં થાય. જ્યારે 80%થી વધુ દર્દીઓ પહેલાથી જ દવા-પ્રતિરોધક બેક્ટેરિયા લઈ રહ્યાં છે, ત્યારે તેનો અર્થ એ છે કે જોખમ હવે હોસ્પિટલ પૂરતું નથી. તે આપણા સમુદાયો, પર્યાવરણ અને દૈનિક જીવન સુધી ફેલાઈ ગયું છે.

આ આદતો જોખમ વધારી રહી છે

  • એન્ટીબાયોટિક દવાઓનો દુરુપયોગ
  • ડૉક્ટરની પરચા વગર દવાઓની સરળ ઉપલબ્ધિ
  • અધૂરું સારવાર-ચક્ર
  • પોતાની મરજીથી દવાઓ લેવો

એન્ટીબાયોટિક દવાઓ અસરકારક ન રહેવાને કારણે હોસ્પિટલોએ વધુ શક્તિશાળી દવાઓનો ઉપયોગ કરવો પડે છે, જે તરત અસરકારક ન હોવાના કારણે કેસ વધુ ગંભીર બની શકે છે અને સારવાર પણ મોંઘી પડે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.