ટેલિકોમ ઉદ્યોગના એક નવા પ્રસ્તાવ મુજબ, સરકાર સ્માર્ટફોન કંપનીઓને હંમેશા સેટેલાઇટ આધારિત લોકેશન ટ્રેકિંગ ચાલુ રાખવાની ફરજ પાડે તેવી શક્યતા છે. આ પગલાને લઈને સેમસંગ, એપલ અને ગૂગલ જેવી ટેક જાયન્ટ કંપનીઓએ પ્રાઈવસીની ચિંતાઓ વ્યક્ત કરી છે.
- કંપનીઓએ પ્રસ્તાવનો વિરોધ કેમ કર્યો?
રોઇટર્સના અહેવાલ પ્રમાણે, કંપનીઓનું કહેવું છે કે ફરજીયાત ડિવાઈસ-લેવલ ટ્રેકિંગ યૂઝર્સની ગોપનીયતા પર સીધી અસર કરે છે. આ ચર્ચા તે સમયે તેજ બની છે જ્યારે સરકારની સંચાર સાથી એપને લઈને પહેલાથી જ ભારે વિરોધ ચાલી રહ્યો છે.
- સરકાર આ સુવિધા શા માટે ઇચ્છે છે?
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, વર્તમાન સિસ્ટમ સેલ ટાવર ડેટા પર આધારિત હોવાથી ચોક્કસ લોકેશન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડે છે. સેલ્યુલર ડેટા અવરોધિત અથવા ફેરફાર કરી શકાય તેવી સંભાવના હોવાને કારણે A-GPS આધારીત ચોક્કસ સેટેલાઇટ લોકેશન તેમની જરૂરિયાત છે.
- COAIનો પ્રસ્તાવ શું કહે છે?
COAI જે રિલાયન્સ જિયો અને ભારતી એરટેલનું પ્રતિનિધિત્વ કરે છે એ સૂચન કર્યું છે કે જો સરકાર મંજૂરી આપે તો સ્માર્ટફોનમાં A-GPS ફરજિયાત રીતે સક્રિય કરાવવામાં આવે.
- આનો અર્થ:
ફોનનો લોકેશન હંમેશા ચાલુ રહેશે
યૂઝર તેને બંધ કરી શકશે નહીં
- ગૂગલ અને એપલએ શું કહ્યું?
ICEA (Indian Cellular & Electronics Association), જે ગૂગલ અને એપલનું પ્રતિનિધિત્વ કરે છે,નું કહેવું છે કે દુનિયાના કોઈ દેશમાં ડિવાઈસ-લેવલ ટ્રેકિંગ ફરજિયાત નથી. કંપનીઓએ આ સિસ્ટમને પ્રાઈવસી માટે જોખમી ગણાવી છે.
સરકાર અને સ્માર્ટફોન ઉદ્યોગ વચ્ચેની બેઠક મુલતવી રાખવામાં આવી છે અને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર થયું નથી.
- સંચાર સાથી વિવાદ પછી હવે લોકેશન ટ્રેકિંગ ચર્ચા
તાજેતરમાં જ સંચાર સાથી એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાના સરકારના નિર્ણયને લઈને ભારે વિરોધ થયો હતો. OTA અપડેટ દ્વારા જૂના ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. વિવાદ વધતા સરકારે સ્પષ્ટતા કરી કે એપ ફરજિયાત નથી અને પછી સૂચના પાછી ખેંચાઈ.
લોકેશન ટ્રેકિંગનો મુદ્દો સામે આવતા ડિજિટલ ગોપનીયતા અંગેની ચર્ચા વધુ ગુમસુમ બની ગઈ છે.


Leave a Comment