લગ્ન સમયે વડાપ્રધાન મોદી ઇઝરાયેલના પ્રવાસે હોવા છતાં, તેમણે વિજય અને રશ્મિકાના પરિવારને પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવી હતી. વિજયે સોશિયલ મીડિયા પર આ પત્ર શેર કરતા જણાવ્યું કે, લગ્ન પહેલા તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને તેમને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન દેશના ઇતિહાસ અને સ્થાપત્ય વિશે પણ ચર્ચાઓ થઈ હતી.
વડાપ્રધાને પત્રમાં લખ્યું હતું કે:
’26 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલા વિજય અને રશ્મિકાના લગ્નનું આમંત્રણ મેળવીને મને ખૂબ આનંદ થયો. આ શુભ પ્રસંગે દેવરકોંડા અને મંદન્ના પરિવારને મારી હાર્દિક શુભેચ્છાઓ. ‘સખા સપ્તપદ ભાવ’ મુજબ આ જોડી જીવનભરના સાથી બને તેવી કામના. રૂપેરી પડદે જાદુ સર્જનાર આ કલાકારોના વાસ્તવિક જીવનનું આ પ્રકરણ પ્રેમ અને સ્નેહથી ભરપૂર રહે.’
A few days back, we met the Honourable Prime Minister @narendramodi garu and took his blessings, spent a great time talking about our history, architecture, stories and and he wrote my parents the sweetest letter ❤️❤️ pic.twitter.com/l2oXdkmVEn
— Vijay Deverakonda (@TheDeverakonda) February 28, 2026
ઉદયપુરમાં યોજાયું ભવ્ય આયોજન
રશ્મિકા અને વિજયના લગ્ન ઉદયપુરમાં ખૂબ જ ખાનગી છતાં ભવ્ય રીતે સંપન્ન થયા હતા. લગ્ન બાદ સોશિયલ મીડિયા પર આ કપલ માટે અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. ફિલ્મી સિતારાઓથી માંડીને સામાન્ય ચાહકો આ જોડીને સુખી દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ચાહકોનો ઉમળકો
જેવા જ આ લગ્નના સમાચાર અને વડાપ્રધાનનો પત્ર વાયરલ થયો, કે તરત જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ‘વિજય-રશ્મિકા’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ચાહકો પીએમ મોદીના આ જેસ્ચરના ખૂબ વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ સ્ટાર કપલ માટે આનાથી મોટી ભેટ બીજી કોઈ હોઈ શકે નહીં. ફિલ્મી પડદે જે કેમિસ્ટ્રી પ્રેક્ષકોએ ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કોમરેડ’ જેવી ફિલ્મોમાં જોઈ હતી, તે હવે વાસ્તવિક જીવનમાં પણ જોવા મળશે તે જાણીને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


Leave a Comment