રાજકોટ-જામનગર હાઈવે પર બસ-ટ્રક અકસ્માત, બસ પલટી; 15 મુસાફરો ઈજાગ્રસ્ત

by

Thenewsdk

Updated: 19-11-2025, 05.57 AM

Follow us:

રાજકોટ અને જામનગરને જોડતા વ્યસ્ત હાઈવે પર ધ્રોલ નજીક મંગળવારે એક ગંભીર અકસ્માત બન્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અથડામણ થતા બસ માર્ગ પરથી ઉછળીને પલટી ગઈ હતી.

આ અચાનક ઘટેલી દુર્ઘટનાના કારણે બસમાં મુસાફરી કરતા લોકોને ભારે અફરાતફરીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ઘટનામાં લગભગ 15 જેટલા મુસાફરોને ઇજા પહોંચી છે અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  • મુસાફરોમાં ભય

અકસ્માત ધ્રોલ વિસ્તારના હાલાર હોટેલ નજીક બન્યો હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાઈવેનો આ ભાગ ભારે ટ્રાફિક અને ઝડપી વાહનવ્યવહાર માટે ઓળખાય છે.

બસ પલટી જતા મુસાફરોમાં ભય જોવા મળ્યો હતો. અકસ્માત બાદ રસ્તા પર પડેલી વસ્તુઓ અને વાહનના અવશેષોને કારણે થોડા સમય માટે ટ્રાફિક સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયો હતો.

  • હાઈવે પર મુસાફરોની ચીસો ગુંજી

મુસાફરો જણાવ્યા મુજબ, અથડામણ એટલી જોરદાર હતી કે બસનું સંતુલન બગડયું અને તે ઉછળીને પલટી મારી ગઈ હતી. બસ પલટી જતાં મુસાફરોની ચીસો સાંભળી હાઈવે પર પસાર થતાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

ત્યારબાદ સ્થાનિક લોકોએ અને હાઈવે પર ફરજ બજાવતા કર્મચારીઓએ ઘાયલ થયેલ મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. કેટલાક લોકોને નાની ઈજા પહોંચી છે તો ઘણા લોકોને ગંભીર ઈજા થઈ છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.