Bollywood latest news : રણવીર સિંહની બહુચર્ચિત ફિલ્મ ‘ધુરંધર’ આવતીકાલે, 5 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલાં જ ફિલ્મને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. અભિનેતા રાકેશ બેદીએ ઇશારો કર્યો છે કે ફિલ્મનો બીજો ભાગ પણ તૈયાર છે અને તે આગામી વર્ષે આવી શકે છે.
જ્યારે રાકેશ બેદીને પૂછવામાં આવ્યું કે ‘ધુરંધર’નો સિક્વલ આવશે કે નહીં, ત્યારે તેમણે જણાવ્યું:
“હા, મેં પણ સાંભળ્યું છે. મેં આ ફિલ્મમાં અડધું કામ કર્યું છે. લોકો આ ભાગમાં અડધું જ જોશે, બાકીનો અડધો ભાગ વધારે રસપ્રદ છે.”
અભિનેતા અનુસાર, તેઓ દિગ્દર્શક આદિત્ય ધર સાથે ફરી જોડાયા હોવાથી સૌથી વધુ ઉત્સાહિત છે.
“URI પછી ફરી તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. સ્ક્રિપ્ટ વાંચીને સમજાયું કે ઘણા સમયથી આવું કંઈ કર્યું નહોતું,” એમ તેમણે જણાવ્યું.
રણવીર સિંહ લગભગ બે વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે. ફિલ્મે રિલીઝ પહેલાં જ ચર્ચા જગાવી છે, ખાસ કરીને તેના 214 મિનિટના રનટાઇમને કારણે, જે તેને છેલ્લા 17 વર્ષમાં બોલીવૂડની સૌથી લાંબી ફિલ્મોમાં સામેલ કરે છે.
ફિલ્મમાં રણવીર સિંહ સાથે અર્જુન રામપાલ, સારા અર્જુન, અક્ષય ખન્ના, આર. માધવન અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં દેખાશે. ‘ધુરંધર’ જિયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયો દ્વારા નિર્મિત છે.


Leave a Comment