Sanchar Saathi DoT Data: ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા શરૂ કરાયેલી સંચાર સાથી એપ આજના સમયમાં મોબાઇલ યુઝર્સ માટે સુરક્ષાનું મજબૂત હથિયાર બની ગઈ છે. તાજેતરમાં શેર કરાયેલા સરકારી આંકડાઓ અનુસાર, આ એપની મદદથી દર મિનિટે 6 મોબાઇલ ફોન બ્લોક કરવામાં આવી રહ્યા છે.
DoTના જણાવ્યા મુજબ, સંચાર સાથી એપ દર મિનિટે 4 ફોન ટ્રેસ કરે છે, જ્યારે દર બે મિનિટે 3 ગુમ થયેલા મોબાઇલ ફોન સફળતાપૂર્વક રિકવર કરવામાં આવી રહ્યા છે. આ આંકડા બતાવે છે કે એપ ફક્ત ટેકનોલોજી નથી, પરંતુ યુઝર્સ માટે સુરક્ષાની ગેરંટી બની છે.
- ફ્રોડ કોલ અને મેસેજ સામે મજબૂત રક્ષણ
સંચાર સાથી એપ દ્વારા યુઝર્સ ફ્રોડ કોલ, SMS અથવા WhatsApp પર આવતા શંકાસ્પદ સંદેશાઓની સીધી ફરિયાદ કરી શકે છે. રિપોર્ટ મળ્યા બાદ તપાસ કરવામાં આવે છે અને જો ફ્રોડ સાબિત થાય, તો નંબર સાથે મોબાઇલ હેન્ડસેટ પણ બ્લોક કરવામાં આવે છે.
- ગુમ થયેલા ફોનની ફરિયાદ સરળ
એપ અથવા વેબસાઇટ મારફતે યુઝર્સ તેમના ગુમ થયેલા ફોનનો IMEI નંબર બ્લોક કરવાની વિનંતી કરી શકે છે. આથી સંબંધિત એજન્સીઓને ફોન શોધવામાં મદદ મળે છે અને ફોનનો દુરુપયોગ અટકાવી શકાય છે.
- તમારા નામે કેટલા મોબાઇલ નંબર?
Sanchar Saathi પ્લેટફોર્મ પર તમે તમારા આધાર પર કેટલા મોબાઇલ નંબર એક્ટિવ છે તે પણ જાણી શકો છો. અજાણ્યો નંબર દેખાય તો તરત જ તેને બ્લોક અથવા રિપોર્ટ કરી શકાય છે.
- અસલી કે નકલી મોબાઇલ?
આ એપ દ્વારા IMEI નંબર દાખલ કરીને તમે તમારા ફોનની ઓરિજિનાલિટી ચેક કરી શકો છો. જો મોબાઇલ નકલી હોય તો એપ તરત એલર્ટ આપે છે.


Leave a Comment