Gujarat : દિવાળી પહેલાં કે પછી? ગુજરાત મત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ; દિલ્હીમાં ટોચના નેતાઓની ગુપ્ત બેઠક

by

Thenewsdk

Updated: 14-10-2025, 06.09 AM

Follow us:

ગાંધીનગરમાં રાજકીય તાપમાન વધ્યું છે, કારણ કે દિલ્હીમાં અચાનક યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ ગુજરાતના મંત્રિમંડળમાં મોટા ફેરફારોની શક્યતાઓ પ્રબળ થઈ છે.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર અને પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. બેઠક છ કલાકથી વધુ સમય સુધી ચાલી, જેના પગલે રાજ્યના રાજકારણમાં હલચલ મચી છે.

  • ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છેલ્લા ત્રણ મહિનામાં વડાપ્રધાન સાથે ત્રીજી વખત મળ્યા છે, જેના કારણે અટકળો વધુ વેગ લઈ રહી છે કે આ વખતે મંત્રિમંડળમાં ખરેખર ફેરફાર થઈ શકે છે. ભાજપના સૂત્રો કહે છે કે આ બેઠક ખાસ મહત્વની હતી કારણ કે ગુજરાતના નેતાઓને અચાનક દિલ્હી બોલાવવામાં આવ્યા હતા.

આ ચર્ચાઓમાં બોટાદના હડદડ ગામની ઘટનાનો પણ ઉલ્લેખ થયો હોવાની સંભાવના છે, જ્યાં તાજેતરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. સરકાર આગામી દિવસોમાં નિવારક પગલાં પર વિચાર કરી શકે છે. આ બેઠકની ગુપ્તતા અને ગંભીરતા એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન કે મુખ્યમંત્રીએ આ બેઠકની કોઈ તસવીર કે વિગત સોશિયલ મીડિયા પર જાહેર કરી નથી.

હવે સૌની નજર એ બાબત પર છે કે દિવાળીના પહેલા કે પછી મંત્રિમંડળમાં કયા નવા ચહેરાઓ જોવા મળશે અને કયા મંત્રીઓની વિદાય થશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.