ENTERTAINMENT

વીર પહાડિયાએ કરી પગપાળા યાત્રા, કહ્યું- ઈતિહાસનું સન્માન એ…

વીર પહાડિયા હંમેશા તેના અંગત જીવન અને ફેશન સ્ટાઈલ માટે ચર્ચામાં રહે છે. ત્યારે હવે અભિનેતા આ દિવસોમાં પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘સ્કાયફોર્સ’ને લઈને ચર્ચામાં છે. વીર પહાડિયા વિશે બીજી સૌથી ખાસ વાત એ છે કે તે આજે પણ પોતાના મૂળને ભૂલી શક્યો નથી અને તે તેના વારસાને કેવી રીતે ઉજવવો તે જાણે છે. તેની એક ઝલક હાલમાં જોવા મળી છે.


વીર પહાડિયા પગપાળા યાત્રામાં લીધો ભાગ

ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ વીર પહાડિયા પંઢરપુર મંદિરની યાત્રામાં ભાગ લીધો હતો. જે વિઠોબા રુક્મિણી મંદિરની પ્રતિષ્ઠિત યાત્રા છે. આ દરમિયાન અભિનેતા પહેલા દિવસે 22 કિલોમીટર અને બીજા દિવસે 20 કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો હતો. જે આ પરંપરા પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવે છે. આટલું જ નહીં, વીર એવા લોકોના વખાણ કરવામાં પણ જરાય શરમાયા નહીં જેમણે 250 કિલોમીટરની સંપૂર્ણ સફર પૂરી કરી હતી.

તમને જણાવી દઈએ કે પંઢરપુર વારી અથવા વારી, વિઠોબાને સમર્પિત એક યાત્રા છે જેમાં જ્ઞાનેશ્વર અને તુકારામ જેવા સંતોની પાદુકા તેમના મંદિરોમાંથી પંઢરપુર લાવવામાં આવે છે. ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા આ યાત્રામાં ભાગ લે છે જે મહારાષ્ટ્રના ધાર્મિક અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે.

આ પ્રવાસમાં ભાગ લઈને વીર પહાડિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે કેવી રીતે માત્ર તેની પરંપરાઓ સાથે જોડાયેલો નથી પણ તેના ઈતિહાસનું સન્માન પણ કરે છે. આ પ્રવાસ તેના મૂળ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button