ભારતમાં વોટ્સએપ અને અન્ય મેસેજિંગ એપ્સ પર નવી ડિજિટલ સુરક્ષા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે વોટ્સએપ વેબ અને સમાન સર્વિસિસમાં દર 6 કલાકે ઓટોમેટિક લોગઆઉટ ફરજિયાત થશે, અને કોઈપણ ડિવાઇસ સિમ કાર્ડ સાથે જોડાયેલ હોવું આવશ્યક છે.
સરકારનું કહેવું છે કે વધતા ડિજિટલ ફ્રોડ અને ઑનલાઈન ઠગાઈઓને રોકવા માટે આ પગલું અનિવાર્ય છે. ફેક ડિવાઇસ અથવા અનલિંકડ પ્લેટફોર્મથી હેકિંગ અને ડેટા મિસયૂઝને અટકાવવા માટે હવે દરેક મેસેજિંગ એકાઉન્ટ મોબાઇલ નંબર સાથે સીધો જોડાશે.
ટેક્નોલોજી નિષ્ણાતો ચિંતિત છે કે આ નિયમથી યુઝર્સની પ્રાઇવસી પર અસર પડી શકે છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે, ખાસ કરીને રોમિંગ ન હોય ત્યારે એપ્સ ઉપયોગ મુશ્કેલ બની શકે છે. ઘણા યુઝર્સ એકથી વધુ ડિવાઇસ પર એપ્સ ચલાવતા હોવાથી પણ પરેશાની આવી શકે છે.
નવા નિયમ હેઠળ મેસેજિંગ એપ્સ 90 દિવસની અંદર સર્વિસ મોબાઇલ નંબર સાથે લિંક કરશે અને કંપનીઓએ ચાર મહિનામાં સરકારને અમલની માહિતી આપવી પડશે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે વધતી ડિજિટલ ઠગાઈને રોકવા માટે કડક પગલાં જરૂરી છે, જ્યારે યુઝર્સ અનુભવ સુધારવા અંગે ચર્ચા ચાલુ છે.


Leave a Comment