NATIONAL

બુલંદશહરમાં બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10 લોકોનાં કરૂણ મોત

  • પિકઅપ વાહનમાં સવાર 25 મુસાફરો ઘાયલ થયા
  • બસની ટક્કર વાગતાં પિકઅપ ખેતરમાં અનેક પલટી ખાઈ ગઇ હતી
  • આ ટક્કરથી પિકઅપ વાહન અનિયંત્રિત થઈ ગયું હતું અને ખેતરમાં અનેક પલટીઓ ખાઈ ગયું હતું

ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં એક મોટો વાહન અકસ્માત થયો છે. બુલંદશહરના સલેમપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પ્રાઇવેટ બસ સામેથી આવી રહેલા પિકઅપ વાહન સાથે અથડાઈ હતી.

આ ટક્કરના લીધે પિકઅપ વાહન અનિયંત્રિત થઈને રોડ પરથી ખેતરમાં ઘણી પલટી મારી ગયું હતું. આ દુર્ઘટનામાં પિકઅપ વાહનમાં સવાર 10 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 12-13 લોકો ઘાયલ છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. ઘાયલ લોકોમાંથી પાંચની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.રવિવારે સવારે પિકઅપ વાહનમાં અંદાજે 20-22 મુસાફરો સવાર થઈને શિકરપુર તરફ જઈ રહ્યા હતા. એ જ સમયે શિકરપુર તરફથી એક પ્રાઇવેટ બસ પૂરઝડપે બુલંદશહર તરફ આવી રહી હતી. મેરઠ-બદાયું હાઈવે પર સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સલેમપુર પાસે એક વાહનને ઓવરટેક કરવા જતાં પ્રાઇવેટ બસ પિકઅપ વાહન સાથે અથડાઈ ગઈ હતી.

આ ટક્કરથી પિકઅપ વાહન અનિયંત્રિત થઈ ગયું હતું અને ખેતરમાં અનેક પલટીઓ ખાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પિકઅપ વાહનમાં સવાર બધા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બધા ઘાયલોને જિલ્લા હોસ્પિટલ ખાતે પહોંચાડયા હતા. જ્યાં ડોક્ટરોએ નવ લોકોને મૃત જાહેર કર્યા હતા. ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. જેમાંના પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત પછી બસનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button