- ઓછા બજેટમાં ફરવા માટેનું બેસ્ટ પ્લેસ
- પ્રાચીન મંદિરો સહિત અનેક છે આકર્ષણના સ્થળો
- નૈનિતાલથી 22કિમીની અંતરે આવેલુ હિલસ્ટેશન
આપણે મોટાભાગે શાંત માહોલ અને કુદરતી નજીક રિલેક્સ થવા ઇચ્છીએ. રોજની રૂટિન લાઇફમાંથી બ્રેક લેવા માટે કુદરતના સાંનિધ્ય સિવાય બીજી કોઇ ઉત્તમ થેરાપી નથી. આપણા દેશમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જયાં કુદરત મન મૂકીને ખીલી ઉઠે છે. ત્યારે આજે આપણે એવા જ કુદરતી સ્થળની વાત કરીશું. કે જેની સાથે કેટલીક ધાર્મિક અને પૌરાણિક વાત પણ જોડાયેલી છે.
મજાનું હિલસ્ટેશન
આપણે આજે વાત કરીએ નૈનિતાલમાં આવેલુ એક હિલ સ્ટેશન કે જેનું નામ છે ભીમતાલ. તમે વીકેન્ડમાં ફરાવા માગો છો તો આ બેસ્ટ પ્લેસ છે. અહીં પ્રાચીન મંદિર, પર્વતો, નાના મોટા ઝરણા, ધોધ અને અનેક કુદરતી નજારા જોવા મળે છે જેનાથી દિલ ખુશ થઇ જાય. આ જગ્યા શાંતિપ્રિય લોકો માટે પરફેક્ટ છે. અહીં એક તળાવ આવેલુ છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ભીમતાલનું સુંદર તળાવ નૈનીતાલથી 22 કિલોમીટરના અંતરે અને દરિયાની સપાટીથી 1370 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ભીમતાલ તળાવ પ્રવાસીઓને ખૂબ જ મનોહર દૃશ્ય રજૂ કરે છે. આ સરોવર નૈનીતાલના સરોવર કરતાં પણ મોટું છે, તેથી જ તેને ભીમતાલ કહેવામાં આવે છે.
શું છે આકર્ષણ ?
- ભીમતાલમાં પ્રવાસીઓ અહીં બોટિંગની મજા પણ માણી શકે છે. અહીંનું બીજું આકર્ષણ છે તળાવની મધ્યમાં એક ટાપુ પર બનેલું માછલીઘર. આ માછલીઘરમાં પ્રવાસીઓ બોટ દ્વારા આવી શકે છે. તળાવ કિનારેથી ટાપુનું અંતર 98 મીટર છે.
- અહીં 17મી સદીમાં બનેલું ભગવાન ભીમેશ્વર મહાદેવનું મંદિર છે. તેના પરિસરની બાજુમાં 40 ફૂટ ઊંચો બંધ પણ છે જે ભીમતાલ તળાવનો આકાર બનાવે છે અને સિંચાઈના કામમાં મદદ કરે છે. નજીકમાં બસ સ્ટેશન અને ટેક્સી સ્ટેશન છે. અહીંથી એક રસ્તો નૌકુચિયાતલ અને જંગલિયાગાંવ જાય છે. બીજી તરફ કાઠગોદામ શહેર અને રેલવે સ્ટેશન 18 કિલોમીટરના અંતરે આવેલું છે.
- દિલ્હીથી 7 થી 8 કલાકના અંતરે, આ હિલ સ્ટેશન સપ્તાહના અંતે મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે. આ ઉપરાંત, આ પ્રવાસન સ્થળ તેના પ્રાચીન મંદિરો, અદભૂત પર્વત શિખરો, આકર્ષક તળાવો છે. એક પ્રખ્યાત પર્યટન સ્થળ હોવાને કારણે, ભીમતાલ પાસે ઘણા બધા છુપાયેલા ખજાના અને મુલાકાત લેવા માટેના સ્થળો છે જે તમે એક્સપ્લોર કરી શકો છો.
- ભીમતાલ તેના અદ્ભુત લેન્ડસ્કેપ્સ અને શાંત વાતાવરણ માટે પણ પ્રસિદ્ધ છે.
કેવી રીતે પડ્યુ ભીમતાલ નામ ?
કહેવાય છે કે ભીમતાલ નામ પાછળ એક પૌરાણિક કથા છે. કે વનવાસ દરમિયાન જ્યારે ભીમ જમીન પર પોતાની ગદાથી આ સ્થાન પર પ્રહાર કર્યા હતા. જેના કારણે ધરતીમાંથી પાણીની ધારા વહેવા લાગી અને ભીમકાય તળાવી બની ગયું. જેના પરથી ભીમતાલ નામથી આ તળાવ ઓળખાવા લાગ્યું.
ભીમતાલની ક્યારે મુલાકાત લઇ શકો ?
ભીમતાલની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઉનાળામાં છે, જો કે તમે વર્ષના કોઈપણ સમયે અહીં મુસાફરી કરી શકો છો. ઉનાળામાં ઠંડી હવા અને ગરમીનું મિશ્રણ હોય છે. જો તમે ભીમતાલનો સંપૂર્ણ આનંદ માણવા માંગતા હોવ તો તમે માર્ચથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન મુસાફરી કરી શકો છો. અહીંનું હવામાન સાહસિક પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે યોગ્ય છે. અહીં શિયાળો અત્યંત ઠંડો હોય છે, પરંતુ ભીમતાલના હિમાચ્છાદિત પર્વતો અને નૈસર્ગિક સરોવરોની મુલાકાત લેવાનો આ સારો સમય છે. ચોમાસું આખા સ્થળને હરિયાળીથી ઢાંકી દે છે. જો કે વરસાદી માહોલમાં અહીં આવવુ યોગ્ય નથી.
Source link