અમદાવાદના સાબરમતી-ખોડિયાર વચ્ચે આવેલા વિસ્તારના લોકોને ફરી ટ્રાફિકજામ માટે તૈયાર રહેવુ પડશે. જેમાં રેલવે ક્રોસિંગ નં.240 (ત્રાગડ ફાટક) બંધ રહેશે. તેમાં 13 સપ્ટેમ્બર સુધી સાબરમતી-ખોડિયાર વચ્ચે સ્થિત ફાટક બંધ રહેશે. જેમાં અંડરપાસ વાયા ગોદરેજ ગાર્ડન સિટી અને S.G.હાઇવેનો ઉપયોગ કરી શકાશે.
ફાટક બંધ રહેતા વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર સાબરમતી-ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.240 કિમી 773/4-6 (ત્રાગડ રોડ ફાટક) અતિ આવશ્યક સમારકામ માટે 09 સપ્ટેમ્બર, 2024થી 13 સપ્ટેમ્બર, 2024 સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓ રેલવે ક્રોસિંગ નંબર 241 અંડરપાસ વાયા ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી.હાઇવે દ્વારા મુસાફરી કરી શકાય છે. જેમાં અમદાવાદમાં ત્રાગડ રેલવે ક્રોસિંગ ફાટક બંધ રહેશે. તેમાં 13 સપ્ટેમ્બર સુધી રેલવે ક્રોસિંગ નં 240 બંધ રહેતા રેલવેએ જાણકારી જાહેર કરી છે. તેમાં ફાટક બંધ રહેતા વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો છે.
હવે સ્થાનિકોને ભારે ટ્રાફિકજામનો સમાનો કરવો પડશે
ત્રાગડ રોડ ફાટક અતિઆવશ્યક સમારકામ માટે બંધ થતા ગોદરેજ ગાર્ડન સિટી, SG હાઇવે પર રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. જેમાં સાબરમતી-ખોડિયાર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.240 ત્રાગડ ફાટક બંધ રહેશે, વારંવાર ટ્રાફિકની સમસ્યાથી પસાર થતા લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં ભરાતા સ્થાનિકો સહિત તે રસ્તા પરથી પસાર થતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. ત્યારે આ ફાટકના સમારકામ સાથે તે રસ્તો બંધ થતા હવે સ્થાનિકોને ભારે ટ્રાફિકજામનો સમાનો કરવો પડશે.
Source link