GUJARAT

Sayla: સુદામડા ગામે પાણીપૂરીનો વ્યવસાય કરતા યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

સાયલા તાલુકાના સુદામડા ગામે પાણીપૂરીનો વ્યવસાય કરતા રાયસિંગભાઈ શ્રીરામભાઈ કુશવાહા ઉ.વ 35નાએ વહેલી સવારે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું કરુણ મોત થયું હતું.

 આ બાબતે સાયલા પોલીસ દ્વારા ત્યાં પહોંચી યુવાનના મોતનું સાચું કારણ જાણવા પરિવારના સભ્યોની પુછપરછ સાથે નિવેદન નોંધવાની કાર્યવાહી કરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં સાયલાના દરેડની સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વાડીએ રહેતા વલ્લભભાઈ બાબુભાઈ નાગાણી ઉ.વ 40નાએ સવારે કપાસમાં છાંટવાની જંતુનાશક દવા ગટગટાવી લેતાં ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ સાથે હડાળા ગામની સીમમાં ખેતજમીન ધરાવતા અને મૂળ રાણાવાવ, જિ. પોરબંદરના જગદીશભાઇ ઉર્ફે જેઠાભાઈ ગોઢાણિયા ઉ.વ 54વાળાને સવારે છાતીમાં દુખાવો ઉપડયો હતો. દુઃખાવા બાદ હૃદયરોગનો હુમલો આવતા પ્રાણઘાતક નીવડયો હતો અને આધેડ ખેડૂતનું અવસાન થતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button