GUJARAT

Surendranagar: ઘરમાં બે જગ્યાએ સંતાડેલી ચાવી શોધી કાઢીને તસ્કરોએ હાથફેરો કર્યો

વઢવાણનો પરિવાર જાત્રા કરવા ગયો હતો. જાત્રા કરીને પરત આવતા તેઓના ઘરે ચોરી થયાની જાણ થઈ હતી. જેમાં રૂ. 95 હજારની મત્તા ચોરાયાની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રૂમ અને તિજોરીની સંતાડેલી ચાવી લઈ ચોરી થઈ હોવાથી કોઈ જાણભેદુ હોવાની આશંકા મકાન માલિકે વ્યકત કરી છે.

વઢવાણના નવા દરવાજા વિસ્તારમાં રાજેશભાઈ માધવજીભાઈ દેપાળા રહે છે. દેપાળા સમાજ દ્વારા ઉજ્જૈન, પ્રયાગરાજ, અયોધ્યા, છપૈયા, કાશીની જાત્રાનું આયોજન કરાયુ હોય તેઓ પત્ની સાથે તા. 7મી સપ્ટેમ્બરે ગયા હતા. જેમાં ઘરની તીજોરીની ચાવી મંદીરના કટોરામાં, રૂમની ચાવી પાણીયારામાં ગણપતીની મુર્તી નીચે રાખી રાજેશભાઈએ મુખ્ય દરવાજાને તાળુ મારી ચાવી સાથે લઈ ગયા હતા. તા. 15મીએ રાત્રે તેઓ પરત આવતા ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો. અને ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે વઢવાણ પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ દોડી આવી હતી. અને તપાસ કરતા કયાંય તાળા તુટેલા ન હતા અને ચાવી વડે જ રૂમનો દરવાજો અને તીજોરી ખોલાઈ હતી. બીજી તરફ રાજેશભાઈએ આ વિસ્તારના લોકોને પુછતા એક રાત્રે ઘર બહાર પડેલ શટર રીક્ષા પર ચડી એક શખ્સ તેમની મેડીમાંથી ઘરમાં જતો જણાયો હતો. આથી આ ચોરી કોઈ જાણભેદુએ કરી હોવાની આશંકા સાથે રાજેશભાઈએ વઢવાણ પોલીસ મથકે રોકડ, ઘરેણા સહિત રૂ. 95 હજારની મત્તા ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ પી.બી.લક્કડ ચલાવી રહ્યા છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button