માત્ર બોલિવૂડની જ નહીં પણ દુનિયામાં સૌથી સુંદર અભિનેત્રીઓની યાદીમાં એશ્વર્યા રાયનું નામ સામેલ થાય છે. ત્યારે 2007માં એશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. આ બંને બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક હતા. પરંતુ લગ્નજીવનના 17 વર્ષ બાદ તેમના સબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડા!
છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે, એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છૂટાછેડા લઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ઐશ્વર્યા રાયના અભિષેક સાથે આ બીજા લગ્ન છે. અભિષેક સાથે લગ્ન કર્યા પહેલા એશ્વર્યા રાયના લગ્ન થઈ ચૂક્યા હતા.
ઐશ્વર્યા રાયે મોટો ખુલાસો કર્યો
ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે બીજી વાર લગ્ન કર્યા છે. મહત્વનું કહી શકાય કે, ઐશ્વર્યા રાયે પોતે આપેલા એક ઈન્ટરવ્યુમાં આ અંગે મોટો ખુલાસો કર્યો હતો. ઐશ્વર્યા રાય બચ્ચને કહ્યું હતું કે તે અભિષેક બચ્ચન સાથે લગ્નજીવનમાં જોડાયા પહેલા લગ્ન કરી ચૂકી છે. અને તેના બીજા લગ્ન અભિષેક બચ્ચન સાથે થયા હતા.
માંગલિક દોષને દૂર કરવા માટે પૂજા
ઐશ્વર્યા રાય બચ્ચન માંગલિક હોવાના કારણે તેણે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા પહેલા લગ્ન કરવા પડ્યા હતા. અભિષેક બચ્ચન સાથે લગ્ન કરતા પહેલા ઐશ્વર્યા રાયના માંગલિક દોષને દૂર કરવા માટે પૂજા કરવામાં આવી હતી. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચનના પહેલા લગ્ન મંગલ દોષને દૂર કરવા માટે જૂના રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેઓ પોતાના જીવનના ખરાબ શુકનથી બચી શકે છે.
ઐશ્વર્યા રાય વચ્ચે છૂટાછેડાના સમાચાર માત્ર અફવા: અભિષેક
બચ્ચન પરિવારમાં ખટાશના સમાચાર ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે. જેની પાછળનું કારણ બચ્ચન પરિવારના પુત્ર અને પુત્રવધૂ વચ્ચે જોવા મળી રહેલું અંતર છે. ઐશ્વર્યા રાય ઘણીવાર તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે કોઈપણ ફંક્શનમાં જોવા મળે છે. તેની સાથે અભિષેક બચ્ચન જોવા મળ્યો નથી. અભિષેક બચ્ચન મોટાભાગે તેના પરિવાર સાથે જોવા મળે છે. પરંતુ થોડા સમય પહેલા અભિષેક બચ્ચને કહ્યું હતું કે તેના અને ઐશ્વર્યા રાય વચ્ચે છૂટાછેડાના સમાચાર માત્ર અફવા છે.
Source link