ENTERTAINMENT

Bollywood: વિજયતાએ કહ્યું- કુમાર ગૌરવ સાથેની લવ સ્ટોરીમાં રાજેન્દ્રકુમાર વિલન બન્યા હતા

સંગીતકાર જતિન-લલિત અને અભિનેત્રી સુલક્ષણા પંડિતની બહેન વિજયતા પંડિત આજકાલ ગુમનામ જીવન જીવી રહી છે. તાજેતરમાં એક મુલાકાતમાં વિજયતા પંડિતે જીવનની ચઢતી પડતી વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. કુમાર ગૌરવ સાથે લવ સ્ટોરીથી વિજયતા પંડિતે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો.

ફિલ્મ ખૂબ ચાલી પરંતુ તે પછી કુમાર ગૌરવ સાથે તેમની જોડી નહીં રીલમાં કે નહીં રિયલ લાઇફમાં બની શકી. વિજયતાએ કહ્યું કે તેનું કારણ રાજેન્દ્રકુમાર હતા. વિજયતા પંડિત દિવંગત સંગીતકાર આદેશ શ્રીવાસ્તવની પત્ની છે. વિજયતાએ કહ્યું કે લવ સ્ટોરી પછી તેના હાથમાંથી એક પછી એક ફિલ્મ જતી રહી. તે બધું રાજેન્દ્રકુમારના કહેવાથી થયું. તેણે કહ્યું કે લવ સ્ટોરીની શૂટિંગ દરમિયાન કુમાર ગૌરવ તેને પ્રેમ કરવા લાગ્યા હતા. પિતા રાજેન્દ્રકુમારને જાણ થતાં બંનેને દૂર કરવા પ્રયાસ કરવા લાગ્યા. બંનેની ફિલ્મ સફળ થતાં લોકો કુમાર ગૌરવ અને વિજયતાને સાઇન કરવા લાગ્યા. રાજેન્દ્રકુમારે વિજયતાને તમામ ફિલ્મમાંથી કઢાવી દીધી. તે પછી રાજેન્દ્રકુમારે જબરજસ્તી કુમાર ગૌરવની સગાઈ રાજકપૂરની પુત્રી રીમા સાથે કરાવી દીધી. જોકે થોડા સમય પછી કુમાર ગૌરવે સગાઈ તોડીને નમ્રતા દત્ત સાથે લગ્ન કરી લીધા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button