BUSINESS

Business: વૈશ્વિક બજારો પાછળ ઘરઆંગણે સોનામાં રૂ.300નો, ચાંદી રૂ.500નો વધારો

બુધવારે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 50 બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હોવા છતાં તેની કોઈ ખાસ અસર બુલિયન માર્કેટ પર દેખાઈ ન હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો અને ત્યારબાદ વધ્યા મથાળે લેવાલી ઓછી રહેતા ભાવ વધારો મર્યાદિત રહ્યો હતો. તેની અસર રૂપે સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ ધીમી ગતિથી વધ્યા હતા.

ગુરુવારે અમદાવાદ ખાતે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 300 વધીને 75,900 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 75,700 પ્રતિ 10 ગ્રામ થયો હતો. સ્થાનિક ચાંદીમાં રૂ. 500 વધીને કિલો દીઠ ભાવ રૂ. 87,500 થાય હતા. વૈશ્વિક બજારમાં હાજર સોનું 2577 ડોલરથી વધીને 2590 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદીના ભાવ 30.61 ડોલરથી વધીને 31.20 ડોલર પ્રતિ ઔંસ રહ્યા હતા. વિશ્લેષકોએ જણાવ્યું કે, પાછલા દિવસોમાં ફેડરલ પોલિસીને લઈને બુલિયાંમાં ભારે ઉથલપાથલ રહી હતી. હવે જ્યારે વ્યાજદરમાં ઘટાડો થયો છે ત્યારે વધ્યા મથાળે ટ્રેડર્સ થોડા ધીમા પડયા છે. રોકાણકારો અને ટ્રેડર્સની નજર હવે નવા આવનારા US ઈકોનોમિક ડેટા પર રહેશે. ગુરુવારે મોડી સાંજે કોમેક્સ સોનું 5.70 ડોલર વધીને 2604.30 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું હતું. તેમજ કોમેક્સ ચાંદી 64.30 સેંટ વધીને 31.33ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button