ENTERTAINMENT

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’ની એન્ટ્રી? અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને તાજેતરમાં 16 વર્ષ પૂરા થયા છે
  • દિશા વાકાણી ફરી એકવાર શોમાં પરત ફરવાના સમાચાર છે
  • મેકર અસિત મોદીએ દિશાના પાત્ર દયાબેન વિશે એક નવો ખુલાસો કર્યો છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ શોમાં દયાબેનના પાત્રને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. શોના મેકર અસિત મોદીએ આને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેને કહ્યું કે દિશા વાકાણીની વાપસી માટે પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સાથે જ દયાબેનના રોલ માટે નવી એક્ટ્રેસની શોધ પણ ચાલી રહી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સફર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 16 વર્ષની સફર પૂર્ણ કરી છે, જે દર્શકો માટે એક મોટી ઉપલબ્ધિ છે. આ શોએ વર્ષોથી લાખો દર્શકોના દિલ જીતી લીધા છે અને તે ટીવી પર સૌથી વધુ લોકપ્રિય અને જોવાયેલા શોમાંનો એક બની ગયો છે.

દયાબેનના પરત આવવાની ચર્ચા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસીની ચર્ચા વચ્ચે દિશા વાકાણના વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. દયાબેનના વાપસીની આશામાં ફેન્સે સોશિયલ મીડિયા પર ઘણી વખત તેમની ઈચ્છા વ્યક્ત કરી છે. દિશા વાકાણી 2017માં મેટરનિટી લીવ પર ગયા બાદ શોમાં પાછી ફરી નથી. તેની ગેરહાજરી છતાં તેની પ્રશંસામાં કોઈ ઘટાડો થયો નથી અને પ્રેક્ષકો હજુ પણ તેના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર અસિત મોદીનો ખુલાસો

મીડિયા સાથે વાત કરતાં શોના મેકર અસિત મોદીએ દિશા વાકાણીની વાપસીને લઈને તેમની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેને જણાવ્યું કે દયાબેનના રોલ માટે નવી એક્ટ્રેસનું ઓડિશન ચાલી રહ્યું છે. અસિત મોદીએ કહ્યું, ‘શોના દર્શકો દયાબેનને પાછા જોવા માટે ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ રોલ માટે પસંદ કરવી સરળ પ્રોસેસ નથી, અને દિશાનો રોલ અન્ય કોઈ વ્યક્તિ માટે પ્લે કરવો પડકારજનક હશે. અમને આ રોલ માટે એક મહાન એક્ટ્રેસની જરૂર પડશે.

દયાબેનના રોલ માટે નવા ફેસની શોધ

અસિત મોદીએ સંકેત આપ્યો હતો કે દિશા વાકાણીની વાપસીની આશા છે, પરંતુ હજુ સુધી કંઈપણ પુષ્ટિ થઈ નથી. તેને કહ્યું કે દિશા વાકાણી તેના પારિવારિક જીવનનો આનંદ માણી રહી છે અને શોમાં તેના યોગદાન માટે તેનું સન્માન કરવામાં આવે છે.

અસિત મોદીએ પહેલેથી જ વચન આપ્યું હતું કે તેઓ દિશા વાકાણીને શોમાં પાછા લાવશે. શોની 16મી વર્ષગાંઠ પર તેને કહ્યું, “16 વર્ષની આ સફરમાં દિશા વાકાણીનું યોગદાન અતુલ્ય છે. તેણે દર્શકોને ખૂબ હસાવ્યા અને મનોરંજન કરાવ્યું. ફેન્સ તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે અને હું તમને વચન આપું છું કે દિશા વાકાણી ટૂંક સમયમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પાછી આવશે.

દિશા વાકાણીની વાપસીને લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શોના ફેન્સની આશાઓ અકબંધ છે અને તે ક્યારે શોમાં પરત ફરશે તે જાણવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય નવા ફેસ માટે ઓડિશન ચાલી રહ્યા છે, જેઓ દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button