GUJARAT

Mehsana ખાતે મહારાષ્ટ્રિયન પરિવાર દ્વારા ગણેશજીની સ્થાપના કરાઈ

મહેસાણા જિલ્લાભરમા ગણેશ ચતુર્થીએ મોટી સંખ્યામા ભગવાન ગણેશની ઠેર ઠેર સ્થાપના થઇ હતી. મહેસાણા શહેર ખાતે પણ દૂંદાળા દેવનુ ભક્તો દ્વારા સ્થાપન કરાયું હતુ.જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુનિસુવ્રત ફ્લેટમા વસવાટ કરતા મહાષ્ટ્રીયન પરિવાર દ્વારા ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી.તો દૂંદાળા દેવની સવાર અને સાંજે આરતી પૂજા કરી આ પરિવાર સહીત ભક્તો ધન્ય બની રહ્યા છે.

ભાદરવા મહિનાને હિન્દૂ ધર્મમા પવિત્ર મહિનો માનવામાં આવે છે. ભાદરવા મહિનાને વિવિધ વ્રત અને પૂજા અર્ચનાનો મહિનો પણ કહેવામાં આવે છે.તો ભાદરવા સુદ ચોથના રોજ ભગવાન શ્રી ગણેશના જન્મ દિવસ નિમિતે શ્રી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામા આવતી હોય છે.તો ઠેર ઠેર શ્રી ગણેશનુ ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ તો પૂનમ સુધી સ્થાપન કરી ભગવાનની પૂજા અર્ચના કરી ભક્તો ધન્ય બનતા હોય છે. મહેસાણા શહેર ખાતે પણ મોટી સંખ્યામા ગણેશની સ્થાપના કરાઇ હતી.મહેસાણા શહેર ખાતે મુનિસુવ્રત ફ્લેટમાં વસવાટ કરતા અશોક સ્વદાસ પરિવાર દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું સ્થાપન કરવામા આવ્યું છે.સ્વદાસ પરિવાર દ્વારા શાસ્ત્ર્રોકત વિધિ સાથે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરીને સવાર અને સાંજે ભગવાનની આરતી કરવામાં આવી હતી.તો આ પ્રસંગે ભગવાના શ્રી ગણેશના ભક્તો મોટી સંખ્યામા ઉમટયા હતા. સતત દશ દિવસ સુધી પરિવાર દ્વારા ભગવાન શ્રી ગણેશની સેવા પૂજા કરી દશમા દિવસે વિસર્જન કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button