- લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખે ‘ડર’ ફિલ્મની ભૂમિકા વિશે પણ કરી વાત
- શાહરુખ ખાન હાલ લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ભાગ લેવા પહોંચ્યો છે
- મીડિયા અહેવાલ મુજબ 77મા લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન શાહરુખે પોતાના જીવનના અનુભવોને પણ, વાગોળ્યા હતા
બોલિવૂડના રોમાન્સ કિંગ શાહરુખ ખાને લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ભાગ લેવા પહોંચ્યા છે. ફિલ્મ ફેસ્ટિવલમાં તેમણે કારકિર્દીની શરૂઆતમાં સામે આવેલા સંઘર્ષની વાત પણ કરી હતી. દિગ્દર્શક યશ ચોપરાની તીખી આલોચના કરતાં તેમણે ‘ડર’ ફિલ્મમાં આખરે ખલનાયકની ભૂમિકા શા માટે કરી હતી તેની માંડીને વાત કરી હતી. મીડિયા અહેવાલ મુજબ 77મા લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન શાહરુખે પોતાના જીવનના અનુભવોને પણ, વાગોળ્યા હતા. યશ ચોપરાએ શાહરૂખના લુક વિશે ટિપ્પણી કરતાં બાકીના અભિનેતાઓથી તેઓ અલગ હોવાનું જાહેર કરતાં કહ્યું હતું કે શાહરુખ સ્વિસ ચોકલેટ જેવા નથી દેખાતા.
તે ટિપ્પણી સાંભળીને શાહરુખ ખલનાયકની ભૂમિકા કરવા પ્રેરાયા હતા. તેને કારણે યશ ચોપરાની ફિલ્મમાં તેમણે ખલનાયકની ભૂમિકા નિભાવી હતી. તે ફિલ્મનું શુટિંગ સ્વિત્ઝર્લેન્ડમાં થયું હતું. દિગ્દર્શક યશ ચોપરા અભિનેતા શાહરુખ પાસે ફિલ્મની ‘ડર’ની સ્ક્રિપ્ટ લઈને પહોંચ્યા હતા. તેમણે શાહરુખને કહ્યું કે,’હું તમને એક પ્રેમકથામાં લેવા માંગુ છું.પરંતુ આ ફિલ્મમાં તમારે ખલનાયકની ભૂમિકા નિભાવવી પડશે.’
જોકે દિગ્દર્શક આદિત્ય ચોપરા દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ‘ દીલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ વિશે વાત કરતાં શાહરુખે મજાકના ટોનમાં કહ્યું કે ‘તે વખતે હું સ્વિસ ચોકલેટ બોય બની ગયો હતો.’ આમ કહેતાં શાહરુખે તેમનો સિગ્નેચર પોઝ આપીને સૌના હૃદય જીતી લીધા હતા. સિગ્નેચર પોઝ બદલ શાહરુખે કોરિયોગ્રાફર સરોજ ખાનનો આભાર માન્યો હતો. સરોજ ખાને આ સિગ્નેચર પોઝને બહેતર કરવામાં શાહરુખની મદદ કરી હતી.
ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખે સુજોય ઘોષ દ્વારા દિગ્દર્શિત પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’ વિશે પણ ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે ફિલ્મમાં એક્શન શો કરવા તેમના માટે ફિટનેસ વધુ જરૂરી બની રહી છે.
Source link