GUJARAT

Narmada Damની સપાટીમાં વધારો, 15 દરવાજા 2.25 મીટર ખોલવામાં આવ્યા

ઉપરવાસમાં પાણીની આવક વધવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ મોટો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાંથી 2,14,091 ક્યુસેક પાણીની આવક થઈ છે અને જેના કારણે નર્મદા ડેમની સપાટી 134.55 મીટરે પહોંચી ચૂકી છે.

નર્મદા નદીમાં કુલ 2,13,655 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

ત્યારે હાલમાં ડેમના 15 દરવાજા 2.25 મીટર સુધી ખુલ્લા કરવામાં આવ્યા છે અને નર્મદા નદીમાં કુલ 2,13,655 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં નર્મદા ડેમ 88 ટકા જેટલો ભરેલો છે. જો કે સાવચેતીના ભાગરૂપે વડોદરા, ભરૂચ, નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક 3.80 લાખ ક્યુસેક નોંધાઈ હતી અને નર્મદા ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડાયું હતુ. નર્મદા ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

રાજ્યમાં વરસાદને કારણે થયેલી નુકસાનીના આંકડા આવ્યા સામે

રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાનીના આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં 1.69 લાખ લોકોને કેશ ડોલ્સ સહાય આપવામાં આવી છે. રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે 50 હજારથી વધુ પરિવારોને ઘરવખરીનું નુકસાન થયું છે, જ્યારે 2,618 પશુઓના મોત થયા છે. એક સપ્તાહમાં જ રાજ્યમાં 49 વ્યક્તિઓના મોત પણ થયા છે. 4,673 મકાન અને ઝુંપડાઓને નુકસાન અને રાજ્યમાં 3,610 કિલોમીટરના રસ્તાઓનું ધોવાણ થયું છે, જ્યારે 139 કિલોમીટરના નેશનલ હાઈવેને પણ નુકસાન થયું છે.

ગુજરાતમાં વરસાદને લઈ સ્કાયમેટ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વરસાદને લઈ સ્કાયમેટ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે. રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ રહેવાની શક્યતા છે અને 12 સપ્ટેમ્બર પછી વરસાદ રોકાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 9 અને 10 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યમાં 25થી 30 ઓગસ્ટ દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે ગુજરાત જળબંબાકાર થઈ ગયુ હતુ. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને તમામ ઝોનમાં 100 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button