- જેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
- નાળાની ઉપર મોટા મોટા ખાડા પડી જવા પામ્યા છે
- તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરીને લોકોને પડતી હલાકી નું નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
ફ્તેપુરા થી ઝાલોદ જતા વલોન્ડી ગામ પાસે નાળુ બેસી જતા રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી જવા પામ્યા છે જેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
ફ્તેપુરાથી ઝાલોદ જવા માટે એક મુખ્ય રસ્તો હોવાના કારણે ફ્તેપુરા થી મોટી સંખ્યામાં લોકો ઝાલોદ દાહોદ જવા માટે જતા હોય છે ત્યારે ફ્તેપુરાથી એક જ કિલોમીટરની અંતરે વલોન્ડી ગામ નજીક નાળું આવેલું છે આ નાળું ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાના કારણે બેસી જતાં નાળાની ઉપર મોટા મોટા ખાડા પડી જવા પામ્યા છે જેના કારણે ટુ વ્હીલર ફેરવીલર લઈને જતાં રાહદારીઓને પોતાના વાહનોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો આ નાળાના કારણે ક્યારેક મોટો અકસ્માત થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે આ નાળાને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરીને લોકોને પડતી હલાવી નું નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
Source link