NATIONAL

Rajasthan Rain: જાલોરમાં વરસાદે તબાહી મચાવી, પાણીના પ્રવાહમાં 5 લોકો તણાઇ ગયા

  • રાજસ્થાનમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો 
  • જાલોરમાં પાણીના પ્રવાહમાં 5 શ્રદ્ધાળુઓ તણાઇ ગયા
  • એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું

દેશભરમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજસ્થાનમાં પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું હતું. ભારે વરસાદના કારણે જાલોરમાં સુંધા માતા મંદિર પરિસરમાં પાણીના જોરદાર પ્રવાહમાં પાંચ શ્રદ્ધાળુઓ વહી ગયા હતા.

ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ તેજ

ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ તેજ થઈ ગયો હતો. જેને લઈને 5 શ્રદ્ધાળુઓ વહી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો 3 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે હજી પણ એક વ્યક્તિની શોધ ચાલી રહી છે.

ડુંગરપુરની મહિલાનું ઘટનાસ્થળે મોત થયું

મળતી માહિતી મુજબ આજે સવારે જ સુંધા માતા મંદિર વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ દરમિયાન પર્વતીય ઝરણામાંથી આવતા પાણીના જોરદાર પ્રવાહમાં 5 શ્રદ્ધાળુઓ વહી ગયા હતા. જેમાં માતાના દર્શન કરવા આવેલી ડુંગરપુરની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

શ્રદ્ધાળુઓ પહાડીના ધોધ પર આવ્યા હતા

મળતી માહિતી અનુસાર, પોલીસે નજીકના લોકોની મદદથી પાણીમાં તણાઈ ગયેલા ત્રણ ભક્તોને બહાર કાઢ્યા છે. વધુ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે. આજે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને દૂરદૂરથી શ્રદ્ધાળુઓ પહાડીના ધોધ પર આવ્યા હતા.

મંદિર તરફ જતો રોપવે બંધ કરી દેવામાં આવ્યો

અકસ્માતની માહિતી મળતાં જ SDRF અને સિવિલ ડિફેન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. SDRF એ આખા નાળામાં ઉપરથી નીચે સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ ત્યાં કોઈ અન્ય ભક્ત મળ્યો નહોતો. વરસાદ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને જોતા તળેટીથી મંદિર તરફ જતો રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીમાં તણાઈ જતા બચાવી લેવામાં આવેલા ઘાયલોને જસવંતપુરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button