વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહ્યો છે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી; ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. RE ઇન્વેસ્ટ સમિટમાં PM નરેન્દ્ર મોદીએ ખાસ 10 મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી આ જાણીએ શું છે ખાસ…
140 કરોડ ભારતવાસીઓને અમારી પર ભરોસો: PM
ગાંધીનગરમાં PM મોદીના હસ્તે RE ઇન્વેસ્ટમાં સંબોધન કરતા કહ્યું હતું કે, RE ઇન્વેસ્ટ કોન્ફરન્સની આ ચોથી આવૃત્તિ છે. ત્રણ દિવસ અહીં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી આપણે એકબીજા પાસેથી શીખીશુ. આ કોન્ફરન્સથી મળેલી શીખ સમગ્ર માનવજાતને કામ લાગશે.
જનતાએ 60 વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજી ટર્મ આપી
PM મોદીએ કહ્યું કે, જનતાએ 60 વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજી ટર્મ આપી છે. 140 કરોડ ભારતવાસીઓને અમારી પર ભરોસો છે. જનતાની અપેક્ષાઓને 10 વર્ષમાં પાંખો લાગી છે. આ ટર્મમાં એ સપના, અપેક્ષાને નવી ઉડાન મળશે. દેશના ગરીબ, દલિત, શોષિત, પીડિત, વંચિતને ભરોસો છે. ગરીમાપૂર્ણ જીવનની આ ત્રીજી ટર્મ ગેરન્ટી છે.
ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છેઃPM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છે. આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી, આ ઇવેન્ટ એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝનનો આ એક ભાગ છે. પહેલાં 100 દિવસમાં અમે અમારું વિઝન બતાવ્યુ છે. ભારતને ઝડપી વિકાસ કરાવે તેવા દરેક ક્ષેત્ર પર ફોકસ કર્યુ છે. ભારતમાં અમે 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ.
વિશ્વને લાગે છે કે ભારત 21મી સદીમાં શ્રેષ્ઠ તક છેઃPM
10 વર્ષમાં તેમાંથી 4 કરોડ ઘર બનાવી દીધા છે . PM ત્રીજી ટર્મમાં નવા 3 કરોડ ઘર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 100 દિવસમાં 15થી વધારે વંદે ભારત ટ્રેન લોન્ચ કરાઇ છે. અનેક હાઇસ્પીડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી અપાઇ છે. 100 દિવસમાં ગ્રીન એનર્જી માટે અનેક નિર્ણયો લેવાયા છે. ઇન્ડિયન સોલ્યુશન્સ ફોર ગ્લોબલ એપ્લિકેશન આ વાતને વિશ્વ પણ ખૂબ સારી રીતે સમજે છે. વિશ્વને લાગે છે કે ભારત 21મી સદીમાં શ્રેષ્ઠ તક છે. ગુજરાતની આ ધરતી પર શ્વેત ક્રાંતિની શરૂઆત થઇ હતી. ગુજરાતની આ ધરતી પર મધુક્રાંતિ, સૂર્યક્રાંતિની શરૂઆત થઇ છે. હવે ગુજરાતમાં ગ્રીન એનર્જીની શરૂઆત થઇ રહી છે.
ગુજરાત સોલાર એનર્જી ક્ષેત્રે ખૂબ આગળ: PM
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સોલાર એનર્જી ક્ષેત્રે ખૂબ આગળ રહ્યું છે. સોલારની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સોલાર પ્લાન્ટ લાગ્યા હતો. ગાંધીજીએ ક્લાઇમેટ ચેન્જ વિશે ત્યારે કામ શરૂ કર્યું હતુ. મહાત્મા ગાંધીનું આ વિઝન ભારતની મહાન પરંપરાનું પ્રતિક છે. ગ્રીન ફ્યૂચર, નેટ ઝીરો એ કોઈ ફેન્સી શબ્દો નથી, ભારત માટે આ એક કટિબદ્ધતા છે.
ભારત માનવજાતના ભવિષ્યની ચિંતા કરનારો દેશ: PM
ભારત માનવજાતના ભવિષ્યની ચિંતા કરનારો દેશ છે. વિશ્વને રસ્તો દેખાડતા અનેક પગલાં ભારતે લીધા છે. ભારત આવનારા 1000 વર્ષનો બેઝ તૈયાર કરી રહ્યું છે. ભારતનું લક્ષ્ય ટોચ પર પહોંચી ત્યાં ટકી રહેવાનું છે.
2030 સુધીમાં 500 ગીગાવોટ RE મેળવવાનો લક્ષ્યાંકઃPM
RE ઇન્વેસ્ટમાં સંબોધન કરતા PM મોદીએ કહ્યું હતું કે, 2047 સુધી વિકસિત દેશ બનાવવા શું જરૂરી છે તે ખબર છે? આપણી પાસે કોલસા અને ગેસના ભંડ઼ાર નથી, આપણે સોલાર, હાઇડ્રોજન, ગ્રીન પાવર પર આગળ વધીશું. 2030 સુધીમાં 500 ગીગાવોટ RE મેળવવાનો લક્ષ્યાંક છે. તેના માટે ગ્રીન એનર્જીને લોકજુવાળ બનાવી રહ્યા છીએ…
PM સૂર્યઘર યોજનાનો અભ્યાસ કરવા વડાપ્રધાને કરી અપીલ
સમિટમાં વડાપ્રધાને કહ્યું હતું કે, PM સૂર્યઘર યોજનાનો અભ્યાસ કરવો જોઇએ…જેનાથી ભારતનું દરેક ઘર ઉર્જા ઉત્પાદનનો સ્ત્રોત બનશે.3.25 લાખ ઘરોમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ થઈ ગયા છે. આ યોજનાના મળી રહેલા પરિવારો અદભૂત છે. લોકોનું વીજળીનું બિલ બચશે, વીજળી વેચી કમાણી થશે.
21મી સદીના ઇતિહાસમાં ભારતની સોલારક્રાંતિ સવર્ણ અક્ષરે લખાશે: PM
21મી સદીના ઇતિહાસમાં ભારતની સોલારક્રાંતિ સવર્ણ અક્ષરે લખાશે. અહીંથી 100 કિ.મી દૂર સોલાર ગામ છે મોઢેરા…મોઢેરા ગામની તમામ વીજળી જરૂરિયાત સોલારથી ચાલે છે. ભારતના અનેક ગામોને મોઢેરા જેવા વિકસાવાઈ રહ્યા છે.
અયોધ્યાને મોડલ સોલાર સિટી બનાવાઈ રહ્યું છેઃPM
સમિટમાં વડાપ્રધાને કહ્યું હતું કે, અયોધ્યાને મોડલ સોલાર સિટી બનાવાઈ રહ્યું છે. અયોધ્યાને મોડલ સોલાર સિટી બનાવાઈ રહ્યું છે. અયોધ્યાનું દરેક ઘર, ઓફિસ સોલાર એનર્જીથી ચાલે તે લક્ષ્યાંક છે. અયોધ્યામાં અનેક સુવિધાઓ સોલાર એનર્જીથી જોડાઇ છે. ભારતના 17 શહેરોને સોલાર સિટી તરીકે વિકસાવાશે. ખેડૂતોને સિંચાઇ માટે સોલાર પંપ લગાવવા સહાય અપાય છે. 20 હજાર કરોડના ખર્ચે ગ્રીન હાઇડ્રોજન મિશન લોન્ચ કરાયું છે.
Source link