NATIONAL

Agniveerને લઈ મોટા સમાચાર, યોજનામાં સરકાર કરશે ધરખમ બદલાવ..!

સેનામાં જોડાવાનું સપનું જોઈ રહેલા યુવાનોને સરકાર વધુ એક ભેટ આપવાની તૈયારી કરી રહી છે. આ ફેરફાર બાદ અગ્નિવીરનો કાર્યકાળ 4 વર્ષથી વધારી શકાય છે. આ યોજનાના વર્તમાન નિયમો અનુસાર અગ્નિવીરના માત્ર 25 ટકા જ સેવામાં રહે છે, પરંતુ આ ફેરફાર બાદ હવે તેમની સંખ્યા વધારીને 50 ટકા કરવામાં આવશે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ યોજના 2022માં જાહેર કરવામાં આવી હતી.

શું ફેરફારો થઈ શકે છે?

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સરકાર અગ્નિવીર યોજનામાં ફેરફાર કરવા જઈ રહી છે. આમાં અગ્નિવીરના પગાર પણ વધારી શકાય છે. મીડિયા સાથે વાત કરતા સૂત્રએ કહ્યું કે, જમીન પર લડાઇ તાકાત જાળવી રાખવા માટે એક ચતુર્થાંશ સંખ્યા ખૂબ જ નાની છે. સેનાએ ભલામણ કરી છે કે ચાર વર્ષના અંતે અગ્નિવીરોની ટકાવારી વધીને લગભગ 50 ટકા થવી જોઈએ. અત્યાર સુધી 4 વર્ષની સર્વિસ બાદ માત્ર 25 ટકા અગ્નિવીરોને જ સેવામાં રાખવામાં આવે છે. આ યોજનાને સુધારવા માટે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જો કે, આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે છે.

અગ્નિવીર યોજના શું છે?

સશસ્ત્ર દળોને ફ્લેક્સીબલ બનાવવા અને રક્ષા પેન્શન બિલ ઘટાડવાના પ્રયાસરૂપે કેન્દ્ર દ્વારા 2022માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અનુસાર અગ્નિવીર તરીકે ઓળખાતા સૈનિકોને આર્મી, નેવી અને એરફોર્સમાં 4 વર્ષના કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવે છે. તમામ ભરતીઓમાંથી માત્ર 25% જ સૈનિકોને કાયમી કરવામાં આવે છે. આ યોજના લાગુ થયા બાદ દેશભરમાં તેનો વિરોધ થયો હતો.

લોકસભા ચૂંટણીમાં ભાજપને લાગ્યો ઝટકો

જો કે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યોજના લાવ્યા બાદ યુવાનો ભાજપથી નારાજ હતા. મળતી માહિતી મુજબ ભાજપને લોકસભા ચૂંટણીમાં તેવી બેઠકો પર ઝટકો લાગ્યો છે, જ્યાં રક્ષા કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button