GUJARAT

Dwarka: શહેરના રામનાથ ચાર રસ્તા, નગરગેટ, જોધપુરગેટમાં નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો

  • જામ ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદ
  • ધોધમાર વરસાદને પગલે જન જીવન પ્રભાવિત
  • રવિવાર રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે

દ્વારકાને ધમરોળ્યા બાદ આજે પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ફરી બેટિંગ ચાલુ કરી દીધી છે. આજે સવારે 6થી બપોરે 4 વાગ્યા સુધીમાં દ્વારકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એના કારણે સમગ્ર દ્વારકા જાણે પાણીમાં ડૂબી ગયું હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદ અને નુકસાનને પગલે NDRFની ટીમ દ્વારકા જવા રવાના થઈ છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકાનો ભદ્રકાલી ચોક, ઈસ્કોન ગેટ અને દ્વારકા મંદિર સંચાલિત આરામ ગૃહ વિસ્તાર વરસાદી પાણી ભરાવાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.

પાણીમાં ફસાયેલાં લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા

બે દિવસથી સતત વરસાદના કારણે દ્વારકાનો ભદ્રકાલી ચોક, ઈસ્કોન ગેટ અને દ્વારકા મંદિર સંચાલિત આરામગૃહ વિસ્તાર વરસાદી પાણી ભરાવાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. લોકોના ઘરોના ગેટ અને દરવાજા પણ પાણીમાં ગરકાવ થયા હતા.

ભદ્રકાલી ચોક, ઇસ્કોન ગેટ અને આરામગૃહ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત

યાત્રાધામ દ્વારકામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસતા વરસાદ બાદ રવિવારે સવારથી જ અચાનક વાદળ ફાટતા જેવી પરિસ્થિતિમાં વરસાદી પાણી વરસ્યું હતું. જેના કારણે દ્વારકાના અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. દ્વારકાના મુખ્ય એવા ભદ્રકાલી ચોક ખાતે પાણી ભરાઈ ગયા હતા. દ્વારકાના મુખ્ય માર્ગ ઇસ્કોન ગેઈટ તથા ગુરુદ્વારા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા. લોકોની દુકાનો અંદર તેમજ બેન્ક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેન્કમાં પાણી ભરાવાથી મુદ્દામાલનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવી શકાય.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button