- રસ્તાઓને થયેલા નુકસાન અંગે કરાયો સર્વે
- સર્વેનો રિપોર્ટ મ્યુનિ.કમિશનરને સોંપાયો છે
- કયા વોર્ડમાં કેટલા રસ્તા તૂટ્યા તે મુદ્દે કરાયો સર્વે
રાજકોટમાં ભારે વરસાદ બાદ સરવે કરાયો છે. જેમાં રસ્તાઓને થયેલા નુકસાન અંગે સર્વે કરાયો છે. તેમાં કયા વોર્ડમાં કેટલા રસ્તા તૂટ્યા તે મુદ્દે સર્વે કરાયો છે. જેમાં સરવેનો રિપોર્ટ મ્યુનિ. કમિશનરને સોંપાયો છે. મ્યુનિ.કમિશનર આજે રિપોર્ટ જાહેર કરી શકે છે. ચોમાસું પૂરું થાય બાદ નવીનીકરણનું કામ શરૂ થશે. તેમજ રસ્તા ઉપર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે.
રસ્તાઓને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવામાં આવ્યો
શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવામાં આવ્યો છે. પ્રાથમિક સર્વેનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યો છે. ક્યા વોર્ડમાં કેટલા રસ્તા તુટ્યા? ક્યાં કેવું રીપેરીંગ જરૂરી ક્યાં નવો રોડ બનાવવો તે અંગે રિપોર્ટ સુપ્રદ કરાયો છે. રસ્તાના ધોવાણ અંગે મ્યુ કમિશ્નર આજે રિપોર્ટ જાહેર કરી શકે છે. ચોમાસાની વિદાય બાદ રસ્તાઓના નવીનીકરણનું કામ શરૂ થશે. રસ્તા ઉપર ખાડા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પવનની ઝડપ 10 કીમી પ્રતિકલાકની રહી હતી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે વહેલી સવારથી બપોર સુધીમાં રાજકોટ શહેરમાં પોણો ઈંચ જેટલો વરસાદ યવરસી ગયો હતો. જોકે બપોરે 3 કલાક આસપાસ સૂર્યદેવે દર્શન પણ દીધા હતા. જેમાં રાજકોટ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ સવારથી બપોરે 2-30 કલાક સુધીમાં શહેરના સેન્ટ્રલ ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં 20-20 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે સવારે 8-30 કલાકે રાજકોટનું તાપમાન 26.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. તેમજ સવારે હવામાં ભેજ 97 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 12 કી.મી. રહી હતી. જયારે બપોરે 2-30 કલાકે શહેરનું તાપમાન 28.8 ડિગ્રી નોંધાયું હતું તથા હવામાં ભેજ 86 ટકા રહ્યો હતો તેમજ પવનની ઝડપ 10 કીમી પ્રતિકલાકની રહી હતી.
Source link