લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર | Rahul Gandhi in Raebareli Attacks PM Modi Over Fuel Prices Economic Shock to Youth

by

Thenewsdk

Updated: 19-05-2026, 03.21 PM

Follow us:

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર | Rahul Gandhi in Raebareli Attacks PM Modi Over Fuel Prices Economic Shock to Youth




Rahul Gandhi in Raebareli: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા છે. ‘બડા મંગલ’ના ખાસ પ્રસંગે તેમણે ચુરુઆ હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી બજરંગબલીના દર્શન કર્યા હતા. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધન વિશે સવાલ કર્યો, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ અત્યારે મુખ્ય મુદ્દા પરથી ભટકવા નથી માંગતા અને આ સમયે દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો જ સૌથી મોટો અને ગંભીર મુદ્દો છે.

પેટ્રોલ-ડીઝલની મોંઘવારી પર રાહુલ ગાંધીના પ્રહાર અને પીએમ મોદી પર તંજ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવને લઈને રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે સીધા પીએમ મોદીની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું કે, ‘આજે જ્યારે દેશ અને દુનિયા સામે આટલો મુશ્કેલ સમય આવી રહ્યો છે, ત્યારે આપણા પીએમ મોદી આખી દુનિયાના લોકોને કહી રહ્યા છે કે તમે બહાર ન જાઓ, પરંતુ તેઓ ક્યારેક વિમાન લઈને નોર્વે ચાલ્યા જાય છે, તો ક્યારેક જાપાન કે અન્ય કોઈ જગ્યાએ જતા રહે છે.’

‘જનતાને લાગશે મોટો આર્થિક આંચકો, અદાણી-અંબાણીને કોઈ ફરક નહીં પડે’

રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘સરકારની ખોટી નીતિઓના કારણે આગામી દિવસોમાં દેશની સામે ઘણો કપરો સમય આવવાનો છે.’ સરકાર અને દેશના મોટા ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ પર નિશાન સાધતાં તેમણે ઉમેર્યું કે, ‘દેશમાં જે આ મોટો આર્થિક આંચકો આવી રહ્યો છે, તેની અસર ઉપર બેઠેલા લોકો પર બિલકુલ નહીં થાય.’

આ પણ વાંચો: જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી! કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ

તેમણે વધુમાં કહ્યું કે, આ આર્થિક ફટકો દેશના મોટા ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીને નહીં લાગે કે ન તો પીએમ મોદીને આનાથી કોઈ ફરક પડવાનો છે, કારણ કે તેઓ તો આરામથી પોતાના મહેલોમાં બેઠા રહેશે. આ ખોટી નીતિઓનો હિન્દુસ્તાનના મજૂરો, યુવાનો અને નાના વેપારીઓને સહન કરવો પડશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤