લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near Salangpur Marutidham Gate

by

Thenewsdk

Updated: 31-05-2026, 05.30 AM

Follow us:

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near Salangpur Marutidham Gate



યુવક
સાળંગપુર ખાતે કેરીનું બોક્સ પ્રસાદમાં આપવા ગયો હતો

કારચાલકે
યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
,
બરવાળા પોલીસમાં ગુનો નોંધાયો

ભાવનગર – 
બરવાળાના સાળંગપુર મારૃતીધામ ગેટ પાસે કારે અડફેટેે લેતા
સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું
હતું. બનાવ અંગે કાર ચાલક સામે બરવાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

બોટાદના
પાંચ પડા નારણનગર-૨માં રહેતા ભરતભાઈ બચુભાઈ સોલંકીએ બરવાળા પોલીસ મથકમાં
જીજે-૦૫-આરબી-૭૦૦૧ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમનો દિકરો
કરણકુમાર સોલંકી (ઉ.વ.૨૭) ગત રોજ સાંજના તેનું જીજે-૦૧-એલઈ-૧૧૦૬ નંબરની મોટર સાયકલ
લઈને સાળંગપુર કષ્ટભંજન મંદિરે કેરીનું બોક્સ પ્રસાદમાં ધરાવવા માટે ગયો હતો અને
પરત આવતી વખતે સાળંગપુર મારૃતીધામના ગેટ પાસે ઉક્ત કારના ચાલકે તેમની બાઈક સાથે
અકસ્માત સર્જતા કરણકુમારનેે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે બોટાદ સોનાવાલ
હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા.
બનાવ અંગે બરવાળા પોલીસે ગુનો નોંધ્યો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤