લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

આસામ: લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ | iaf an32 aircraft accident jorhat assam

by

Thenewsdk

Updated: 13-06-2026, 11.23 AM

Follow us:

આસામ: લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ | iaf an32 aircraft accident jorhat assam



Jorhat Airbase Crash: 5 IAF Personnel Martyred : આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે બનેલી વાયુસેનાના AN-32 ટ્રાન્સપોર્ટ વિમાનની દુર્ઘટનામાં દેશના પાંચ બહાદુર જવાનો શહીદ થયા છે. આ ઘટનામાં કો-પાયલટ જીવિત બચ્યા છે, જેમને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે.

શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

ભારતીય વાયુસેનાએ શહીદ થયેલા પાંચ જવાનોના નામ જાહેર કર્યા છે:

સ્ક્વોડ્રન લીડર: પ્રશાંત સિંહ

ફ્લાઇટ લેફ્ટનન્ટ: શુભમ કુમાર

સાર્જન્ટ: જિતેન્દ્ર શર્મા

અગ્નિવીરવાયુ: ખેમારામ કુમાવત

અગ્નિવીરવાયુ: દાનિશ આલમ

વાયુસેનાએ શહીદ જવાનોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ દુઃખની ઘડીમાં વાયુસેના પરિવાર શહીદોના પરિવારોની સાથે મક્કમતાથી ઊભો છે.

ઘટના કેવી રીતે બની?

પ્રાથમિક અહેવાલો અને વાયુસેનાના નિવેદન મુજબ, વિમાન જોરહાટ એરફિલ્ડ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. લેન્ડિંગ કર્યા બાદ વિમાનમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ એરબેઝ પર રહેલી ઇમરજન્સી અને ફાયરફાઇટિંગ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.

કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતીય વાયુસેનાએ આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ‘કોર્ટ ઓફ ઇન્ક્વાયરી’ના આદેશ આપ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને તે કેવી રીતે સર્જાયો, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને અત્યારે તપાસ પ્રક્રિયા ચાલી રહી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤