લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

બે દિવસ પહેલા જ મારી વાત થઈ હતી અને તે…: સંચિતા ઉગલેના મોત પર કો-સ્ટારનું ચોંકાવનારું નિવેદન | sanchita ugle suicide co star sorab bedi revelation aicwa demands investigation

by

Thenewsdk

Updated: 16-06-2026, 01.08 PM

Follow us:

બે દિવસ પહેલા જ મારી વાત થઈ હતી અને તે…: સંચિતા ઉગલેના મોત પર કો-સ્ટારનું ચોંકાવનારું નિવેદન | sanchita ugle suicide co star sorab bedi revelation aicwa demands investigation



photo 1781594634805

Sorab Bedi on Sanchita Death: ટેલિવિઝન અભિનેત્રી સંચિતા ઉગલેના આકસ્મિક અવસાનના આઘાતમાંથી હજુ મનોરંજન જગત બહાર નથી આવ્યું, ત્યાં આ મામલે વધુ એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ટીવી સીરિયલ ‘દિલવાલી દૂલ્હા લે જાયેગી’માં સંચિતાના કો-સ્ટાર રહેલા અભિનેતા સોરાબ બેદીએ જણાવ્યું છે કે, આત્મહત્યાના બરાબર બે દિવસ પહેલાં જ તેની સંચિતા સાથે વાતચીત થઈ હતી. સંચિતાના મોતના સમાચાર સાંભળીને સોરાબ ભારે આઘાતમાં છે અને તેણે અભિનેત્રીની માનસિક સ્થિતિ અંગે મોટો દાવો કર્યો છે.

’15 જૂનની સવારે સમાચાર મળ્યા, હું સ્તબ્ધ થઈ ગયો’ – સોરાબ બેદી

મીડિયા ફોટોગ્રાફર્સ સાથેની વાતચીતમાં પોતાનું દુઃખ વ્યક્ત કરતા સોરાબ બેદીએ જણાવ્યું હતું કે, “યાર, મારી તેના નિધનના માત્ર બે દિવસ પહેલાં જ વાત થઈ હતી. 15 જૂનની સવારે જ્યારે મને સંચિતાના મોતના સમાચાર મળ્યા ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.” સોરાબ અત્યંત ભાવુક અવસ્થામાં સંચિતાના પરિવારને મળવા માટે રવાના થઈ રહ્યો હતો ત્યારે તેણે ઉમેર્યું કે, “હું અત્યારે તેના ઘરે જ જઈ રહ્યો છું. મને આ વિશે અગાઉ કોઈ જ અંદાજો નહોતો, આજે સવારે જ આ આઘાતજનક વિગતો સામે આવી છે.”

છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હતી સંચિતા

‘કુમકુમ ભાગ્ય’ ફેમ અભિનેત્રી સંચિતાની માનસિક સ્થિતિ વિશે વાત કરતા ‘સ્પ્લિટ્સવિલા 16’ના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા સોરાબે સ્વીકાર્યું કે તે છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક પ્રેશર હેઠળ હતી. સોરાબે કહ્યું કે, “તે બિચારી છેલ્લા ઘણા દિવસોથી કોઈને કોઈ વાતને લઈને ખૂબ જ પરેશાન ચાલી રહી હતી.” જોકે, તે આ હદ સુધીનું અંતિમ પગલું ભરી લેશે તેવી કલ્પના સોરાબ સહિત ઇન્ડસ્ટ્રીના કોઈ વ્યક્તિએ કરી નહોતી.

ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીથી જીત્યા હતા દર્શકોના દિલ

ઉલ્લેખનીય છે કે, સોરાબ બેદી અને સંચિતા ઉગલેએ લોકપ્રિય ટીવી શો ‘દિલવાલી દૂલ્હા લે જાયેગી’માં સાથે કામ કર્યું હતું. આ સિરિયલમાં સોરાબે ‘કાર્તિક’ અને સંચિતાએ ‘સુકૂન’ની ભૂમિકા ભજવી હતી. દર્શકોએ આ બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી અને રોમેન્ટિક જોડીને ભરપૂર પ્રેમ આપ્યો હતો, જેના કારણે આ જોડી નાના પડદાની સૌથી ચર્ચિત જોડીઓમાંથી એક બની ગઈ હતી.

મુખ્યમંત્રી સમક્ષ તપાસની માંગ: AICWA

બીજી તરફ, સંચિતા ઉગલેના આત્મહત્યાના કેસમાં હવે રાજકીય અને કાનૂની ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ‘ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન’ (AICWA)ના અધ્યક્ષ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ આ મામલાની ગંભીરતાને જોતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો: કોઈની સાથે સંબંધ નહીં બનાવો તો…: સંચિતા ઉગલેના નિધન બાદ અભિનેત્રીએ રડતાં રડતાં જણાવ્યા ટીવી ઇન્ડસ્ટ્રીના ડાર્ક સીક્રેટ્સ

એસોસિએશને પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, સંચિતાના જવાથી સમગ્ર ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગ્લેમર વર્લ્ડની પાછળ કયા કારણોસર આ આશાસ્પદ અભિનેત્રીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો, તેની પાછળનું સંપૂર્ણ સત્ય સામે આવવું જ જોઈએ. એસોસિએશને આ ઘટનાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ કલાકાર સાથે આવો અન્યાય ન થાય.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤