વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઈ
હેઠવાસનાં રસ્તાને ડાઈવર્ઝન અપાયું, સાઈનબોર્ડ, બેરીકેટ
સહિતની વ્યવસ્થા કરવા કાર્યપાલક ઈજનેરને તાકીદ
ભાવનગર – બોટાદ-સાળંગપુર રોડ પર બોટાદ શાખા નહેર પરનો બ્રીજ
જર્જરીત અને જોખમી બનતા તાકીદની અસરથી તમામ વાહનો માટે બંધ કરવાનું અને હેઠવાસમાં
ડાયવર્ઝન આપવાનું વહીવટી તંત્ર દ્વારા નિશ્ચિત કરાયું છે. સાથે જરૃરી સલામતી
સંદર્ભે કા.ઈજનેરને પણ તકેદારી રાખવા સુચના અપાઈ છે.
બોટાદ શાખા નહેર ઉપર સાંકળ ૭૩.૮૪૦ કિમી ઉપર આવેલ બોટાદ સાળંગપુર પરનાં
પુલની ગંભીર સ્થિતીને ધ્યાને લઈ જાહેર જનતાની સલામતી અન ેજાન માલના નુકસાન ન થાય
તે માટે ઉપરવાસનાં એટલે કે બોટાદથી સાળંગપુર તરફ જતા બ્રિજ પરથી તમામ વાહન વ્યવહાર
બંધ કરી હેઠવાસનાં એટલે કે સાળંગપુરથી બોટાદ તરફ જતા બ્રિજ પરથી તમામ વાહનો પસાર
કરવા ઉપયોગમાં લેવા ફરમાવવામાં આવ્યું છે. આ જાહેરનામું નવા બ્રિજનાં બાંધાકમની
કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રખાયું છે.
ઉક્ત સ્થળે વાહન ચાલકોની સાલમતી માટે બ્રિજ બંધ કરવા તથા ડાયવર્ઝન સ્થળ પર
જરૃરી સાઈનબોર્ડ તથા બેરીકેટીંગ કરવા જરૃરી સાધન સામગ્રી લગાવી અકસ્માત ન થાય તેની
કાર્યપાલક ઈજનેરને, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નં. ૩-૧, બોટાટ



Leave a Comment