લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે | Railway Board Shifts Three Express Trains From Sabarmati To Gandhigram Station In Ahmedabad

by

Thenewsdk

Updated: 21-06-2026, 03.53 PM

Follow us:

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: સાબરમતીથી ઉપડતી આ 3 ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનેથી દોડશે | Railway Board Shifts Three Express Trains From Sabarmati To Gandhigram Station In Ahmedabad



Railway Board Shifts Three Express Trains : અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની કનેક્ટિવિટીને મોટો વેગ આપતા, રેલવે બોર્ડે 3 જોડી એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલ પોઇન્ટને સાબરમતી રેલવે સ્ટેશનથી ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર શિફ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ ટ્રેનો હવે ગાંધીગ્રામથી ઉપડશે અને ત્યાં જ આવીને મુસાફરી પૂર્ણ કરશે, તેમજ આ ટ્રેનો રસ્તામાં ચાંદખેડા રોડ સ્ટેશન પર પણ ઉભી રહેશે.

રેલવે બોર્ડ દ્વારા 19 જૂન, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, 14821/14822 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ, 12547/12548 આગ્રા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસ અને 22547/22548 ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસનું ટર્મિનલ સાબરમતીથી બદલીને ગાંધીગ્રામ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેને યોગ્ય તારીખથી આ ફેરફાર લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેને આ ફેરફારોની વ્યાપક પ્રસિદ્ધિ કરવા અને જો જરૂર પડે તો, શરૂઆતની સેવા સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવવા પણ સૂચના આપી છે. આ નિર્ણયથી અમદાવાદના મધ્ય ભાગમાં અને ત્યાંથી અન્ય સ્થળોએ મુસાફરી કરતા મુસાફરોને મોટો ફાયદો થવાની અપેક્ષા છે, કારણ કે આ સ્ટેશન મુખ્ય શહેરમાં આવેલું છે, અને જાહેર પરિવહન સાથે સારી રીતે જોડાયેલું છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤