લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ઝોમેટો પર તુકારામ મુંઢેનો કડક એક્શન! ‘એનાલોગ પનીર’વાળી વાનગીઓ એપ પરથી હટાવી

by

Thenewsdk

Updated: 31-08-2026, 02.50 PM

Follow us:

ઝોમેટોએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને ‘ઝીરો ટોલરન્સ પોલિસી’ ની જાહેરાત કરી છે. કંપની અનુસાર, જે રેસ્ટોરન્ટ પાર્ટનર્સે પોતાના મેનુમાં એનાલોગ ડેરી (કૃત્રિમ/વેજિટેબલ ઓઈલમાંથી બનેલું પનીર કે ચીઝ)નો ઉપયોગ કરવાની વાત સ્વીકારી છે, તેમની વાનગીઓને તાત્કાલિક અસરથી એપ પરથી હટાવી દેવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ રેસ્ટોરન્ટની લિસ્ટિંગ રદ કરવાનો અધિકાર કંપનીએ પોતાની પાસે અનામત રાખ્યો છે.

રેસ્ટોરન્ટ પાર્ટનર્સને આખરી ચેતવણી
ઝોમેટોએ તમામ લિસ્ટેડ રેસ્ટોરન્ટ્સને સૂચના આપી છે કે, તે તાત્કાલિક ઓરિજિનલ ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ શરૂ કરે. જો તરત જ ફેરફાર શક્ય ન હોય તો મેનુમાંથી એનાલોગ ડેરીવાળી આઈટમ્સ દૂર કરી દે. કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે પાર્ટનર્સ આ નીતિનું પાલન નહીં કરે, તેમને ઝોમેટો પ્લેટફોર્મ પરથી કાયમી ધોરણે ડી-લિસ્ટ (હટાવી) કરી દેવામાં આવશે. CEO આદિત્ય મંગલાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને શુદ્ધ ખોરાક પહોંચાડવો એ તેમની પ્રાથમિકતા છે.

IAS તુકારામ મુંઢેનો ધમાકેદાર સપાટો
મહારાષ્ટ્રમાં FDAના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ IAS અધિકારી તુકારામ મુંઢેએ ભેળસેળિયા તત્વો સામે યુદ્ધના ધોરણે ઝુંબેશ ચલાવી છે. તેમણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 3000થી વધુ દરોડા પાડીને અસ્વચ્છતા અને અસુરક્ષિત ખોરાક પીરસતી ક્લબો, હોટલો અને રેસ્ટોરન્ટ્સ સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અંતર્ગત ડોમિનોઝ, પિઝા હટ અને રૂસ્તમ આઈસ્ક્રીમ જેવા પ્રખ્યાત બ્રાન્ડ્સના આઉટલેટ્સ તેમજ બોમ્બે હાઈકોર્ટની કેન્ટીનનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવાયું હતું.

એનાલોગ પનીર અને ગ્રાહક જાગૃતિ અંગે વિશેષ માહિતી

  • શું હોય છે એનાલોગ પનીર/ચીઝ?: એનાલોગ પનીર કે ચીઝ કુદરતી દૂધમાંથી બનાવવામાં આવતું નથી. તેને દૂધના સોલિડ્સ, વેજિટેબલ ઓઈલ (વનસ્પતિ ઘી/પામ ઓઈલ), સ્ટાર્ચ અને કેમિકલ ઈમલ્સિફાયર ભેળવીને બનાવવામાં આવે છે. તેનો દેખાવ અને સ્વાદ અસલી પનીર જેવો જ હોય છે પરંતુ તે ખૂબ જ સસ્તું હોય છે.
  • આરોગ્ય પર આડઅસરો: એનાલોગ પનીરમાં સેચ્યુરેટેડ ફેટ્સ અને ટ્રાન્સ ફેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જેના સતત સેવનથી કોલેસ્ટ્રોલ વધવું, હૃદયરોગ, મેદસ્વીતા અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
  • FSSAIના નિયમો: FSSAIના નિયમ મુજબ જો કોઈ રેસ્ટોરન્ટ કે શોપ એનાલોગ પ્રોડક્ટ વેચે છે, તો તેણે મેનુ કાર્ડ કે પેકેટ પર સ્પષ્ટપણે “Analogue Dairy Product” લખવું ફરજિયાત છે. ગ્રાહકોને અંધારામાં રાખીને તેને અસલી પનીર કે ચીઝ તરીકે પીરસવું એ કાનૂની ગુનો છે.
Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤