HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

Ganpati Visarjan: અનન્યા પાંડેથી લઈને અંબાણી પરિવાર સુધી…સેલિબ્રિટીઝે આ રીતે ગણપતિ બપ્પાને આપી વિદાય

Avatar photo
Updated: 29-08-2025, 10.37 AM

Follow us:

ગણેશ ચતુર્થીના અવસરે બોલિવૂડથી લઈને ટીવી સુધીના ઘણા સેલિબ્રિટીઝ ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવ્યા. કોઈ બાપ્પાને 11 દિવસ સુધી પોતાના ઘરમાં રાખે છે તો કોઈ 5 કે તેથી ઓછા દિવસમાં જ બાપ્પાનું વિસર્જન કરે છે.

ઘણા સેલેબ્સે ગુરુવારે બાપ્પાનું વિસર્જન કર્યું. જેમાં અનન્યા પાંડેએ આ વર્ષે પોતાના ઘરમાં જ વિસર્જન કર્યું, જ્યારે ટીવીના રામ-સીતા ગુરમીત-દેબીનાએ ઢોલ વગાડીને બાપ્પાને વિદાય આપી.

ગોવિંદાએ બાપ્પાનું વિસર્જન કર્યું

બોલિવૂડ અભિનેતા ગોવિંદા પણ પોતાના પરિવાર સાથે બાપ્પાને ઘરે લાવ્યો હતો. તેણે ગુરુવારે બાપ્પાનું વિસર્જન કર્યું. ગોવિંદાના બાપ્પાની વિદાયનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

અનન્યાએ ઈકો-ફ્રેન્ડલી રીતે વિસર્જન કર્યું

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે ગણપતિનું વિસર્જન કરવા માટે ક્યાંય બહાર ગઈ ન હતી, પરંતુ તેણે ઘરે જ વિસર્જન કર્યું. તેણે સોશિયલ મીડિયા પર બાપ્પાને વિદાય આપતો વીડિયો શેર કર્યો છે, જેમાં તે વિસર્જન કરતી જોવા મળી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.