રાજીવ ગાંધી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ રમાશંકર શર્માએ બુધવારે જણાવ્યું હતું કે ખેડૂતો અને સ્વતંત્રતા સેનાનીઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સામેની તેમની અરજી પર સુનાવણી ફરી શરૂ થઈ ગઈ છે.
તેમણે સમીક્ષા અરજી દાખલ કર્યા પછી કેસ ફરીથી ખોલવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે અભિનેત્રી પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.
- શું છે આખો મામલો?
એડવોકેટ રમાશંકર શર્માએ જણાવ્યું કે તેમણે 11 સપ્ટેમ્બર, 2024ના રોજ આગરાની સ્થાનિક કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં ખેડૂત સમુદાયનું અપમાન કરવામાં આવ્યું હતું અને મહાત્મા ગાંધી સહિત સ્વતંત્રતા સેનાનીઓ વિરુદ્ધ રાજદ્રોહી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
શર્માના જણાવ્યા અનુસાર, કોર્ટની વારંવાર નોટિસો છતાં, ન તો કંગના રનૌત કે ન તો તેના કોઈ પ્રતિનિધિએ જવાબ આપ્યો. તેમણે કહ્યું, “કોર્ટે તેણીને પોતાનો કેસ રજૂ કરવાની બીજી તક આપી, પરંતુ તેણી તરફથી કોઈ જવાબ મળ્યો નહીં’.
- કંગના તરફથી કોઈ જવાબ ન હોતો
કોર્ટે 9 જાન્યુઆરી, 2025ના રોજ એક આદેશ જારી કર્યો, જેમાં પોલીસને અરજદાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અને પુરાવાઓના આધારે વિગતવાર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. શર્માએ જણાવ્યું કે તેમણે કોર્ટમાં તમામ જરૂરી દસ્તાવેજો,
સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને અન્ય પુરાવા સબમિટ કર્યા છે. જોકે, અભિનેત્રી તરફથી જવાબ ન મળવાને કારણે અને પ્રક્રિયાગત વિલંબને કારણે અરજી બાદમાં ફગાવી દેવામાં આવી હતી.
શર્માએ કહ્યું, “કંગના રનૌત દ્વારા કોઈ જવાબ કે કાનૂની જોગવાઈ રજૂ કરવામાં આવી ન હતી, જેના કારણે કોર્ટે કેસ બંધ કરી દીધો. પરંતુ મેં સમીક્ષા અરજી દાખલ કરી, જેને હવે કોર્ટે સ્વીકારી લીધી છે, અને સુનાવણી ફરી શરૂ થઈ ગઈ છે’.



Leave a Comment