IPL 2026ના ચોથા મુકાબલામાં 31 માર્ચ મંગળવારના રોજ પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ પર 3 વિકેટે જીત મેળવી છે. મુલ્લાંપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં પંજાબ કિંગ્સને જીતવા માટે 163 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે પાંચ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.
પંજાબ કિંગ્સની જીતના હીરો ઓસ્ટ્રેલિયાના કૂપર કોનોલી રહ્યા, જેમણે 5 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 44 બોલમાં 72 રન બનાવ્યા. બેટિંગ ઓલરાઉન્ડર કોનોલીનો આ IPLમાં ડેબ્યૂ મુકાબલો હતો. પોતાના ડેબ્યૂ મેચમાં જ તેમણે ધમાલ મચાવી દીધી અને તેમને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યા.
શ્રેયસ અય્યરને શા માટે દંડ ભરવો પડ્યો?
પંજાબ કિંગ્સની ગુજરાત ટાઇટન્સ પર જીત છતાં કેપ્ટન શ્રેયસ અય્યરને ધીમી ઓવર રેટના કારણે ભારે કિંમત ચૂકવવી પડી છે. પંજાબ કિંગ્સે આ મેચ દરમિયાન નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂરી કરી ન હતી. IPLની આચારસંહિતા (Code of Conduct)ના અનુચ્છેદ 2.22 હેઠળ આ ટીમની આ સીઝનની પહેલી ભૂલ હતી. આ કારણે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર પર 12 લાખ રૂપિયાનો દંડ મૂકવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યર પર ક્યારે લાગી શકે બેન?
પંજાબ કિંગ્સથી જો આ સીઝનમાં બીજી વાર ધીમી ઓવર રેટનો ગુનો થાય, તો શ્રેયસ અય્યર પર 24 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. સાથે જ ટીમના સભ્યો પર 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા, જે પણ ઓછું હોય તે, દંડ થશે. જ્યારે જો ટીમ ત્રીજી વાર ધીમી ઓવર રેટની દોષી ઠરે, તો મામલો વધુ ગંભીર બની જશે. એવી સ્થિતિમાં કેપ્ટન શ્રેયસ અય્યર પર એક મેચનો બેન લગાવવામાં આવશે.




Leave a Comment