GUJARAT

કચ્છની ધરા ફરી હલબલી, રાત્રે 1:11 કલાકે ભચાઉ વિસ્તારમાં નોંધાયો ભૂકંપનો આંચકો

સરહદી જિલ્લા કચ્છના વાગડ વિસ્તારના ભચાઉમાં રાત્રે 1:11 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ગત રાત્રે 1:11 કલાકે વાગડ વિસ્તારના ભચાઉ પાસે 2.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. તો હાલમાં જ 26 જાન્યુઆરીના આવેલા ગોઝારા ભૂકંપને 24 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ફરી એકવાર આંચકો આવતા લોકોની વર્ષ 2001ના ભૂકંપની યાદ તાજી થઈ હતી.

2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. રાત્રે 1:11 કલાકે 2.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના ભચાઉથી 14 કિલોમીટર દૂર નોર્થ, નોર્થ – ઇસ્ટ બાજુ નોંધાયો છે.

ભચાઉની ફોલ્ટલાઈન વિસ્તારમાં નોંધાયો આંચકો

ઉલ્લેખનીય છે કે કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે.પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે.તો ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે ત્યારે રાત્રે ફરી આ વાગડ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો જેની અસર ભચાઉ અને રાપરના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી .

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય

કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે, તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button