હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, ગુજરાતીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આગામી દિવસોમાં પણ આકરી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જરૂરિયાત વગર દિવસ દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, બુધવારે સૌથી ગરમ 42.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર નોંધાયું હતું. આ સાથે રાજકોટ અને વલ્લભવિદ્યાનગરમાં પણ 42 ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પોરબંદરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આઠ તારીખ સુધી હિટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ સાથે હિટવેવની આગાહી આપવામાં આવી છે. છથી આઠ તારીખ સુધીમાં કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર તથા મોરબી, જુનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દરિયાકિનારાના ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.