લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fraud

by

Thenewsdk

Updated: 25-05-2026, 05.00 AM

Follow us:

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fraud



પોલીસની પરીક્ષામાં નાપાસ થતાં ડીવાયએસપીનો સ્વાંગ રચ્યો હતો

એઆઇના ઉપયોગથી ડીવાયએસપીના યુનિફોર્મમાં ફોટો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યા હતા

રાજકોટ: સુરેન્દ્રનગરના સાયલાથી રાજકોટ રેન્જ પોલીસની ટીમે નકલી ડીવાયએસપી સોહિલખાન બીસ્મિલાખાન પઠાણ (ઉ.વ.૩૧)ને ઝડપી લીધો છે. તેણે ડીવાયએસપી તરીકેની ઓળખ આપી એક મહિલા સાથે રૂા.૨૨ હજારની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. બીજા કોઇની સાથે ઠગાઇ કરી છે કે કેમ તે અંગે હવે સાયલા પોલીસ તપાસ કરી રહી છે.

આરોપી સોહિલખાને એઆઇની મદદથી ડીવાયએસપીની વર્ધીમાં પોતાનો ફોટો જનરેટ કર્યો હતો. જેને પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર મૂકી રીલ્સ બનાવતો હતો. જે અંગે સુરેન્દ્રનગર પોલીસને માહિતી મળી હતી. જેના આધારે રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલ અને પીએસઆઇ બી.સી.મિયાત્રાએ તેને ઝડપી લીધો હતો. 

જોકે ગમે તે કારણસર તેને ગંધ આવી જતાં સોશિયલ મીડિયા પરથી ડીવાયએસપીની વર્ધી સાથેના ફોટા અને રીલ્સ ડીલીટ કરી નાખી હતી. પોલીસને તપાસ કરતાં જાણવા મળ્યું કે, આરોપી સોહિલખાન અગાઉ ટ્રેક્ટરના શો-રૂમમા નોકરી કરતો હતો. તેણે પોલીસની પણ પરીક્ષા આપી હતી. જેમાં નાપાસ થતાં નકલી ડીવાયએસપી બની ગયો હતો. 

તેણે સાયબર ફ્રોડમાં એક મહિલાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં તેનો સંપર્ક કરી તેની પાસેથી રૂા.૨૨ હજાર લઇ લીધા હતા. બદલામાં તે મહિલાને તેનું એકાઉન્ટ અનફ્રીઝ થયાનું એઆઇ જનરેટ સર્ટીફીકેટ મોકલી દીધું હતું. બીજા કોઇની સાથે તેણે ડીવાયએસપીના નામે છેતરપિંડી કરી છે કે કેમ તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.  

– ગૃહમંત્રીએ પદક આપ્યાની નકલી યાદી પણ બનાવી હતી

રાજકોટ: આરોપી સોહિલખાને ગૃહમંત્રી તરફથી પદક મળ્યાની ખોટી યાદી પણ બનાવી હતી. જેમાં તેના નામ સાથે અન્ય અધિકારીઓના નામ પણ લખ્યા હતા. આ યાદીમાં તેણે અભ્યાસમાં બીએચસી (કોમ્પ્યુટર એન્જિનિયરિંગ) દર્શાવ્યું હતું. સરનામામાં સુરેન્દ્રનગર લખ્યું હતું. જન્મતારીખ ૨૦૦૦ની સાલ લખી હતી. આ નકલી સર્ટિફિકેટ પણ પોલીસે કબજે કર્યું છે. 

ડીજીપી, એસએમસીના વડાની ખોટી સહી કરતો : પોલીસ કોન્સ્ટેબલ તરીકેનું નકલી આઇકાર્ડ પણ બનાવ્યું હતું

પોતાની જ બદલીનો ટ્રાન્સફર ઓર્ડર તૈયાર કર્યો હતો

રાજકોટ: આરોપી સોહિલખાને પોતાની જ દાહોદથી કચ્છ બદલીનો નકલી ટ્રાન્સફર ઓર્ડર પણ એઆઇની મદદથી તૈયાર કર્યો હતો. જે ટ્રાન્સફર ઓર્ડર ખોટો ન લાગે તે માટે તેમા અન્ય અધિકારીઓની બદલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ જ ટ્રાન્સફર ઓર્ડરમાં તેણે ડીજીપી ડો. કે.એલ.એન.રાવ અને નિવૃત થયેલા સિનિયર આઇપીએસ ટી.એસ.બિસ્તની ખોટી સહીઓ પણ કરી હતી. પોતાના આઇકાર્ડમાં એસએમસીના વડા ગગનદીપ ગંભીરની સહી કરી હતી. જ્યારે નકલી ડયુટી પાસમાં દાહોદના કમિશનરની સહી કરી હતી. જ્યારે વાસ્તવમાં દાહોદમાં કમિશનરેટ છે જ નહીં. આ ઉપરાંત ચીરાગ જાદવ નામના કોન્સ્ટેબલનું આઇકાર્ડ પણ બનાવી તેમાં પોતાનો ફોટો રાખી દીધો હતો. આ આઇકાર્ડમાં પીઆઇના નકલી સીલ પણ લગાડેલા છે. જે પણ તૈયાર કરવામાં એઆઇની મદદ લીધી હતી. બીજા આઇકાર્ડમાં પોતાની જન્મતારીખ ૧૮-૨-૧૯૦૦ દર્શાવી છે. જ્યારે માન્ય તારીખ ૩૦-૪-૨૦૫૧ દર્શાવી છે. 

– કચ્છમાં એન્ટી ટેરરીઝમના ગુનાની લગામ માટે એન્ટ્રી

રાજકોટ: આરોપી સોહિલખાન પઠાણે પોતાની કચ્છ બદલી થયાના નકલી સમાચારો પણ બનાવ્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે દાહોદ એલસીબીના આધિકારી એસ.બી.પઠાણને દાહોદમાંથી મુક્ત કરાયા છે. લાંબા સમય બાદ પોલીસ કમિશનરે એટેચ તરીકે છુટા કરવાનો આદેશ કર્યો છે. દાહોદ પંથકમાં દારૂ બંધ કરવામાં મોટી ભૂમિકા રહી હતી. પોતે દારૂથી સતત નફરત કરનાર અધિકારી છે. હવે કચ્છમાં એન્ટી ટેરરીઝમના વધતા ગુનાની લગામ માટે એન્ટ્રી થઇ છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤