લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વડોદરાના સયાજી બાગમાં નાસ્તાના પડીકા કે પાણીની બોટલો લઈ જવા પર પ્રતિબંધની સુચનાથી વિવાદ | Controversy over suggestion to ban carrying snack bags or water bottles in Sayaji Baug Vadodara

by

Thenewsdk

Updated: 01-06-2026, 12.38 PM

Follow us:

વડોદરાના સયાજી બાગમાં નાસ્તાના પડીકા કે પાણીની બોટલો લઈ જવા પર પ્રતિબંધની સુચનાથી વિવાદ | Controversy over suggestion to ban carrying snack bags or water bottles in Sayaji Baug Vadodara



Vadodara Sayaji Baug : વડોદરા શહેરની મધ્યમાં આવેલા સયાજી બાગ પર્યટકો માટે આકર્ષણ રૂપ બન્યો છે ત્યારે સયાજી બાગમાં સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી નાસ્તાના પ્લાસ્ટિકના પડીકા કે પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે સયાજી બાગમાં સ્ટોલ ધરાવતા વેપારીને પાણીની બોટલ હોય કે અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકની છાસ કે અન્ય બોટલો હોય તેના વેચાણને છૂટછાટ હોવાથી વિવાદ સર્જાયો છે. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ બાબુએ સયાજી બાગમાં આવતા પર્યટકોના પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવવાની શરૂઆત કરતા હોબાળો સર્જાયો હતો પરંતુ ત્યારબાદ તે પ્રથા ચાલુ રાખવામાં આવી છે.

સયાજી બાગમાં સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરની સુચનાથી સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી સફાઈ ઝુંબેશની કામગીરીને ધ્યાનમાં રાખી કચરો નાખનારા કેટલાક પર્યટકો પાસેથી રૂપિયા 2000 નો દંડની વસુલાત કરી હતી અને રાત્રે બે વાગ્યા સુધી સયાજી બાગની સફાઈ કરવામાં આવી હતી. જેમાં ઠેર-ઠેર પાણીની બોટલો તેમજ નાસ્તાના પેકિંગ કરેલા ફૂડ પેકેટના પ્લાસ્ટિકનો કચરો હતો તેની સફાઈ કરવામાં આવી હતી. 

  આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા નાસ્તાના પેકિંગ કરેલા ફૂડ પેકેટ અને પ્લાસ્ટિકની પાણીની બોટલો સયાજી બાગમાં લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે જેના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. 

કેટલાક પર્યટકોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે ઉનાળાની સીઝન હોય ત્યારે દૂરથી આવનારા પર્યટકો પાણીની બોટલ ભરીને લાવે તે જરૂરી છે. કોર્પોરેશનના આવા નિયમો અને કારણે પર્યટકો મુશ્કેલીમાં મુકાશે જ્યારે કેટલાક પર્યટકોએ મ્યુનિસિપલ કમિશનરના પગલાને આવકાર્યું હતું. કેટલાક પર્યટકોએ તો કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા કે, સયાજી બાગમાં આવેલા ખાણીપીણીના સ્ટોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની અનેક ચીજ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે અને તે પર્યટકો ખરીદી કરી બાગમાં કચરો નાખશે તો તેની સફાઈ કોર્પોરેશન કરશે એટલું જ નહીં જ્યારે કોર્પોરેશન સયાજી બાગમાં પ્રાણી સંગ્રહાલય કે પક્ષી ઘર નિહાળવા માટેની ફી વસૂલ કરે છે ત્યારે સફાઈની જવાબદારી કોર્પોરેશનની રહેલી છે ત્યારે આવા નિયમો બનાવવાથી પર્યટકો ને મુશ્કેલી પડશે જ્યારે કોર્પોરેશનના સયાજી બાગમાં ફરજ બજાવતા સિક્યુરિટી અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, સયાજી બાગમાં પાણીની પરબો રાખવામાં આવી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤