લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

‘આ ટ્રોફી એમના માટે…’, RCB કેપ્ટન પાટીદારે IPL ચેમ્પિયન બન્યા બાદ કોને સમર્પિત કર્યો ખિતાબ? | IPL 2026: Rajat Patidar Dedicates RCB’s Championship Trophy After Historic Victory

by

Thenewsdk

Updated: 01-06-2026, 09.08 AM

Follow us:

‘આ ટ્રોફી એમના માટે…’, RCB કેપ્ટન પાટીદારે IPL ચેમ્પિયન બન્યા બાદ કોને સમર્પિત કર્યો ખિતાબ? | IPL 2026: Rajat Patidar Dedicates RCB’s Championship Trophy After Historic Victory



Rajat Patidar Dedicates RCB Championship Trophy: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ આઇપીએલ (IPL) 2026ની રોમાંચક ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે હરાવીને સતત બીજી વખત આઇપીએલનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. આ ઐતિહાસિક જીત સાથે જ RCB ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સતત બે વખત ખિતાબ જીતનારી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK – 2010, 2011) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI – 2019, 2020) બાદ ત્રીજી ટીમ બની ગઈ છે. આ શાનદાર જીત બાદ આરસીબીના કેપ્ટન રજત પાટીદારે એક અત્યંત ભાવુક જાહેરાત કરીને ટ્રોફી એવા લોકોને સમર્પિત કરી છે, જે સાંભળીને તમામ ક્રિકેટ પ્રેમીઓ પ્રશંસા કરી રહ્યા છે.

કેપ્ટન રજત પાટીદારે દુર્ઘટનાના પીડિતોને સમર્પિત કરી ટ્રોફી

ટાઇટલ મેચ જીત્યા બાદ યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે કેપ્ટન રજત પાટીદારને આ મોટી જીત અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે, ‘અમે આ ટ્રોફી અમારા માત્ર ચાહકોને જ નહીં, પરંતુ ગયા સિઝનમાં બેંગલુરુ નાસભાગ (દુર્ઘટના)માં જીવ ગુમાવનારા નિર્દોષ બાળકોના પરિવારના સભ્યોને સમર્પિત કરીએ છીએ.’ કેપ્ટનના આ નિર્ણયે સ્ટેડિયમમાં હાજર હજારો પ્રશંસકોના દિલ જીતી લીધા હતા.

કેપ્ટન રજત પાટીદારે પોતાની કેપ્ટનશીપની સફળતાનો શ્રેય ટીમના સિનિયર ખેલાડીઓને આપતા જણાવ્યું હતું કે, ‘મેદાન પર અને વ્યૂહરચના ઘડવામાં મને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક તરફથી ઘણી મદદ અને અવનવા વિચારો મળ્યા છે. વિરાટ ભાઈની ટીમમાં હાજરી જ યુવાનો માટે મોટો આત્મવિશ્વાસ છે. જ્યારે પણ ટીમનો કોઈ યુવા ખેલાડી દબાણની સ્થિતિમાં નર્વસ (ગભરાટ) અનુભવે છે, ત્યારે તે સીધો વિરાટ કોહલી પાસે માર્ગદર્શન મેળવવા પહોંચી જાય છે.’

આ પણ વાંચો: IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર, રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફેલાયો

કિંગ કોહલીની અણનમ ફિફ્ટી 

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે આરસીબી સામે જીતવા માટે માત્ર 156 રનનો સામાન્ય સ્કોર ખડો કર્યો હતો. ગુજરાતનું બોલિંગ આક્રમણ અત્યંત મજબૂત હોવાથી તેમણે મેચને રોમાંચક બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરસીબીના બેટર્સ સામે તેમની વ્યૂહરચના કારગત નીવડી નહોતી.

RCBએ પાવરપ્લેની ઓવરોમાં જ ધમાકેદાર બેટિંગ કરીને 70 રન ઝૂડી કાઢ્યા હતા, જેના કારણે મેચ વન-વે (એકતરફી) બની ગઈ હતી. સ્ટાર બેટર વિરાટ કોહલીએ પોતાની ક્લાસ બેટિંગનો નમૂનો પેશ કરતા 42 બોલમાં અણનમ 75 રન ફટકાર્યા હતા. તેમણે જ શાનદાર વિજયી છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ સિવાય વેંકટેશે 32 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સની આશા પર પાણી ફેરવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત બીજી વાર ટાઇટલ જીતીને આઇપીએલ ૨૦૨૬ના આ કઠિન અભિયાનનો સુખદ અને યાદગાર અંત આણ્યો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤