લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’, અભિજિત દીપકે આવશે ભારત | Cockroach Janata Party Leader Abhijit Dipke To Lead Protest In Delhi

by

Thenewsdk

Updated: 01-06-2026, 05.07 PM

Follow us:

દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’, અભિજિત દીપકે આવશે ભારત | Cockroach Janata Party Leader Abhijit Dipke To Lead Protest In Delhi



Abhijit Dipke To Lead Protest In Delhi : શું ‘કોકરોચ જનતા પાર્ટી’ દિલ્હીમાં મોટું આંદોલન કરવા જઈ રહી છે? શું સોશિયલ મીડિયા પર શરૂ થયેલી લડાઈ હવે રસ્તા પર ઉતરવાની છે? સોશિયલ મીડિયા સ્ટાર અભિજીત દીપકેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી તો એવા જ સંકેતો મળી રહ્યા છે. તેમણે એક વીડિયો શેર કરીને પોતાના ફોલોઅર્સને જણાવ્યું છે કે, હું 6 જૂને દિલ્હી પહોંચવાનો છું, કૃપા કરીને મને ઍરપૉર્ટ પર મળો અને આપણે બધા મળીને…’

આમ, અભિજીત દીપકેનો આગળનો પ્લાન અને ભારત આવીને આ આંદોલન શરૂ કરવા પાછળનો એજન્ડા શું છે, તે પણ તેમણે પોતાના વીડિયોમાં જાહેર કર્યું છે.

‘હવે સમય આવી ગયો છે કે આપણે…’

અભિજીત દીપકે હાલમાં અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કરીને પોતાના સમર્થકો અને વિદ્યાર્થીઓને દિલ્હીમાં યોજાનારા વિરોધ પ્રદર્શનમાં જોડાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે, આપણે બધા ભારતના બંધારણના માર્ગ પર ચાલીને એક થઈએ અને શાંતિપૂર્વક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ. જો આપણે બધા સાથે મળીને અવાજ ઉઠાવીશું તો, સરકારે આપણી વાત ચોક્કસ સાંભળવી પડશે.’

6 જૂને ઍરપૉર્ટ પર મળવા અપીલ, પ્રદર્શનની માંગશે પરમિશન

દીપકે પોતાના સમર્થકોને 6 જૂનની સવારે દિલ્હી ઍરપૉર્ટ પર મળવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, ‘મેં નિર્ણય લીધો છે કે હું શનિવારે, 6 જૂનની સવારે દિલ્હી પહોંચીશ. કૃપા કરીને મને ઍરપૉર્ટ પર મળો અને આપણે બધા સાથે મળીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જઈશું અને જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટેની પરમિશન માંગીશું.’ વીડિયોમાં દીપકેએ આક્ષેપ કર્યો છે કે પરીક્ષાઓ સંબંધિત વિવાદો અને ગેરરીતિઓએ વિદ્યાર્થીઓને ચિંતામાં મૂકી દીધા છે, અને તેઓ સરકાર પાસે આ અંગે જવાબદારીની માંગ કરી રહ્યા છે.

શું છે આ ‘કોકરોચ જનતા પાર્ટી’ની કહાની?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (જસ્ટિસ સૂર્યકાંત) દ્વારા યુવાનો અને “કોકરોચ”ને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામનું એક વ્યંગાત્મક (Satirical) અભિયાન શરૂ થયું હતું. આ અભિયાનના સ્થાપક અભિજીત દીપકે છે. CJPની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અભિયાન ખૂબ જ ઝડપથી લોકપ્રિય થયું છે. દીપકેનું કહેવું છે કે, તેમણે આ અભિયાન જસ્ટિસ સૂર્યકાંતની કથિત ટિપ્પણીના વિરોધમાં શરૂ કર્યું હતું, કારણ કે તેમના મતે અભિવ્યક્તિની સ્વતંત્રતા એ લોકશાહીનો મૂળભૂત અધિકાર છે. આ એક યુવા કેન્દ્રિત સોશિયલ મીડિયા આંદોલન છે, જેને ઘણી જાહેર હસ્તીઓ(Public Figures)નું પણ સમર્થન મળ્યું છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤