લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

‘ભત્રીજા અભિષેકને પસંદ કરો કા મને…’ દિગ્ગજ નેતાના અલ્ટીમેટમથી મમતાની TMC સામે મોટું સંકટ | TMC Crisis Kalyan Banerjee Rebels Against Mamata Gives Ultimatum To Choose Him Or Abhishek

by

Thenewsdk

Updated: 11-06-2026, 02.21 PM

Follow us:

‘ભત્રીજા અભિષેકને પસંદ કરો કા મને…’ દિગ્ગજ નેતાના અલ્ટીમેટમથી મમતાની TMC સામે મોટું સંકટ | TMC Crisis Kalyan Banerjee Rebels Against Mamata Gives Ultimatum To Choose Him Or Abhishek




TMC political crisis West Bengal: પશ્ચિમ બંગાળની સત્તા પર છેલ્લા 15 વર્ષથી રાજ કરનાર મમતા બેનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યારે ભારે સંકટમાં ઘેરાયેલા છે. પાર્ટીના નેતાઓ એક પછી એક સાથ છોડી રહ્યા છે. અત્યાર સુધીમાં 60થી વધુ ધારાસભ્યો બળવાખોર થઈ ચૂક્યા છે, જ્યારે દિલ્હીમાં પક્ષના લોકસભા સાંસદોએ પણ બગાવતનું રણશિંગું ફૂંકી દીધું છે. આ બધાની વચ્ચે મમતા બેનરજી માટે સૌથી મોટો ઝટકો તેમના પરમ વફાદાર ગણાતા કલ્યાણ બેનરજીનું બદલાયેલું વલણ છે, જે હવે પાર્ટીના પતન તરફ ઈશારો કરી રહ્યું છે.

કલ્યાણ બેનરજીનું અલ્ટીમેટમ: ‘અભિષેક અથવા વફાદાર નેતાઓમાંથી ગમે તે એકને ચૂંટો’

મમતા બેનરજીએ જેમને ચીફ વ્હીપ બનાવવા માટે પોતાના 40 વર્ષ જૂના સાથી કાકોલી ઘોષને પદ પરથી હટાવી દીધા હતા, તે જ કલ્યાણ બેનરજી હવે બળવાના માર્ગે છે. કલ્યાણ બેનરજીએ ટીએમસી પ્રમુખ મમતા બેનરજીને સીધું અલ્ટીમેટમ આપતાં કહ્યું છે કે, ‘દીદીએ હવે નક્કી કરવું પડશે કે તેમને કાં તો અભિષેક બેનરજી જોઈએ અથવા મારા જેવા વફાદાર નેતાઓ. જો મમતા બેનરજી અભિષેક બેનરજીને પદ પરથી નહીં હટાવે, તો હું ક્ષમાં રહી શકીશ નહીં.

મધ્યરાત્રિએ વકીલ બદલાતા કલ્યાણ બેનરજી થયા અપમાનિત

અભિષેક બેનરજી સામે ચાલી રહેલા નકલી સહીના કેસમાંથી કલ્યાણ બેનરજીએ પોતાને અલગ કરી લીધા છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘અમે મધ્યરાત્રિ સુધી અભિષેકના કેસની તૈયારી કરી રહ્યા હતા અને અચાનક રાત્રે મને જાણ કરવામાં આવી કે વકીલ બદલી નાખવામાં આવ્યા છે. આ ઘણું અપમાનજનક છે. અભિષેકે ક્યારેય મારા પર ભરોસો કર્યો નથી અને તેઓ વરિષ્ઠ નેતાઓનું સન્માન કરવાનું જાણતા નથી.’

‘અભિષેક ઘમંડી છે, દીદી હવે પરિવાર કે પાર્ટીમાંથી એકને પસંદ કરે’

કલ્યાણ બેનરજીએ અભિષેક બેનરજી પર આકરા પ્રહારો કરતા તેમને ‘ઘમંડી’ ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમના કારણે જ પાર્ટીને આટલું મોટું નુકસાન વેઠવું પડ્યું છે. તેમણે કહ્યું, ‘હું મમતા બેનરજીની સાથે જ છું, પરંતુ દીદીએ હવે ફેંસલો કરવો પડશે કે તેમને પક્ષ અને વફાદાર નેતાઓ વહાલા છે કે પછી પરિવાર.’

આ પણ વાંચો: કોંગ્રેસમાં વિલયના અહેવાલોને TMCના બળવાખોર જૂથે ફગાવ્યા, કહ્યું – હજુ તો ઘણા રાજીનામા પડશે

કલ્યાણ બેનરજી માત્ર મમતા બેનરજીના ખાસ જ નહોતા, પરંતુ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર બાદ કોર્ટમાં પાર્ટીના તમામ મહત્ત્વના કેસોની પેરવી પણ તેઓ જ કરી રહ્યા હતા. અભિષેક બેનરજી આરોપી છે તેવા નકલી સહીના કેસમાં પણ તેઓ જ મુખ્ય વકીલ હતા. આવી સ્થિતિમાં કલ્યાણ બેનરજીનું બળવાખોર વલણ હવે ટીએમસી માટે શબપેટીમાં છેલ્લા ખીલા સમાન સાબિત થઈ શકે છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤