મહેશ ડોડિયા, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની વિલંબિત સવારીને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ખેતી અને વેપાર-ધંધા પર વરસાદની સીધી અસર પડતી હોય, ત્યારે વેરાવળના જથ્થાબંધ અનાજ અને કરિયાણાના વેપારીઓએ પરંપરા મુજબ મહાદેવના શરણે જઈ વરસાદ માટે પ્રાર્થના કરી છે. છેલ્લા 26 વર્ષથી આ પરંપરા નિભાવતા વેપારીઓએ આજે વહેલી સવારે વખારિયા બજારથી સોમનાથ સુધીની 7 કિલોમીટર લાંબી પદયાત્રા યોજી હતી.
પરંપરા અને શ્રદ્ધાનો સંગમવેરાવળના વેપારીઓ માટે આ પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આસ્થાનું પ્રતીક છે. દર વર્ષે જ્યારે વરસાદ ખેંચાય છે અથવા મોડો શરૂ થાય છે, ત્યારે વેપારીઓ એકત્ર થઈને સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા પહોંચે છે. વેપારી હિરેન ઉનડકટ અને નરેશભાઈ મૌનાણીએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લા 26 વર્ષથી આ પરંપરા નિભાવી રહ્યા છીએ. જ્યારે પણ મેઘરાજા રિસાયા હોય ત્યારે મહાદેવ જ અમને ઉગારી શકે છે. કૃષિ અને વેપારનો આધાર વરસાદ પર છે, તેથી વહેલી તકે સારો વરસાદ થાય તેવી અમે ભોળાનાથને પ્રાર્થના કરી છે.”
7 કિમીની પદયાત્રા, એક જ લક્ષ્યવખારિયા બજારથી નીકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. ભક્તિભાવ અને ‘હર હર મહાદેવ’ના નાદ સાથે આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો. સોમનાથ પહોંચ્યા બાદ વેપારીઓએ સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી હતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર થાય તથા ખેડૂતોનું વર્ષ સુધરે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી. વેપારીઓનો આ અનોખો પ્રયાસ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાય અને જગતનો તાત ખુશહાલ બને તેવી એકમાત્ર ઈચ્છા સાથે વેપારીઓ આજે મહાદેવના ચરણે નમ્યા હતા.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/ Youtube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter : https://x.com/tv13gujaratiInstagram : https://instagram.com/tv13gujaratilinkedin : https://www.linkedin.com/company/9095…WhatsApp Channel : https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
Source link
મારું ગુજરાત
Gir Somanath: સારા વરસાદ માટે વેપારીઓની અનોખી આસ્થા, 7 કિમીની પદયાત્રા કરી સોમનાથ મહાદેવને અર્પણ કરી પ્રાર્થના


Leave a Comment