પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેના રાજ્ય સંગઠનમાં મોટા ફેરફારો અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવી દીધું છે. બુધવારે પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં રાજ્ય નેતૃત્વમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.
મનીષ તિવારી છે નારાજ ?
આ પછી લોકસભા સાંસદ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા મનીષ તિવારીની નારાજગી અંગેની અફવાઓએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે તેઓ પાર્ટી છોડી શકે છે. પરંતુ હજી સુધી મનીષ તિવારી કે કોંગ્રેસે આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યુ નથી.
કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયના બીજા દિવસે એટલે કે 2 જુલાઈ ગુરુવારના રોજ મનીષ તિવારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને તેમના રાજકીય ભવિષ્ય સાથે જોડવામાં આવી રહી છે. તિવારીએ ટ્વિટ કરતા કહ્યું કે જેની પાસે પ્રતિભા છે તેની પાસે એક મોટી ખામી હોય છે. તેમણે પછી ઉમેર્યું, હું ઈચ્છું છું કે મારી પાસે લોકો અને સંસ્થાઓની અસલામતીનો પણ કોઈ ચોક્કસ ઈલાજ હોત.
તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 45 વર્ષોમાં તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ઘણું બધું મળ્યું છે અને તેમણે પોતાનું આખું પુખ્ત જીવન પાર્ટીની સેવા માટે સમર્પિત કર્યું છે. પોસ્ટના અંતે તેમણે એક પ્રખ્યાત અંગ્રેજી ગીતની એક પંક્તિ ટાંકી છે કે “Que sera, sera, Whatever will be, will be…” જેનો અર્થ થાય છે “જે થવાનું છે તે થશે” અથવા “જે નક્કી છે તે થશે.
https://twitter.com/ManishTewari/status/2072523198432980999
કોંગ્રેસે શું નિર્ણય લીધો?
1 જુલાઈના રોજ કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે અમરિંદર સિંહ રાજા વારિંગ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ચાલુ રહેશે જ્યારે પ્રતાપ સિંહ બાજવા વિધાનસભામાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે સેવા આપતા રહેશે.
પાર્ટીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. વધુમાં લોકસભા સાંસદ સુખજિંદર સિંહ રંધાવાને કોર કમિટીના અધ્યક્ષ, ભૂતપૂર્વ મંત્રી વિજય ઈન્દર સિંગલાને ચૂંટણી વ્યવસ્થાપન અને સંકલન સમિતિના અધ્યક્ષ અને સાંસદ અમર સિંહને મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સંગઠનાત્મક વિસ્તરણના ભાગ રૂપે સુખવિંદર સિંહ ડેની, રાજકુમાર વેર્કા અને સંગત સિંહ ગિલઝિયનને પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન વરિષ્ઠ નેતાઓ સુખપાલ સિંહ ખૈરા, રાણા ગુરજીત સિંહ અને ધરમવીર ગાંધીને ચૂંટણી પ્રચાર સમિતિના સહ-અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Leave a Comment