લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

અમેરિકા-ઈરાન તણાવ વધશે તો ક્રૂડ 150 ડોલર પહોંચશે | Crude oil could reach 150 if US Iran tensions escalate

by

Thenewsdk

Updated: 12-06-2026, 07.15 AM

Follow us:

અમેરિકા-ઈરાન તણાવ વધશે તો ક્રૂડ 150 ડોલર પહોંચશે | Crude oil could reach 150 if US Iran tensions escalate



photo 1781196156743

અમદાવાદ : યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવે એપ્રિલ યુદ્ધવિરામ માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર ઉભો કર્યો છે. પરિસ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા વચ્ચે ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો છે, જ્યારે શેરબજારો દબાણ હેઠળ આવી ગયા છે. ઊર્જા સંશોધન કંપની રાયસ્ટાડ એનર્જીના જણાવ્યા અનુસાર, જો બંને દેશો વચ્ચે સંપૂર્ણ પાયે સંઘર્ષ ફરી શરૂ થાય છે, તો ક્રૂડ ઓઈલના ભાવ ૧૫૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.

અહેવાલ મુજબ, ગલ્ફ ક્ષેત્રના છ મુખ્ય તેલ ઉત્પાદક દેશોમાં આશરે ૧૧.૮ મિલિયન બેરલ પ્રતિ દિવસ તેલ ઉત્પાદનને અસર થઈ છે. આધુનિક સમયમાં તેલ પુરવઠા પર આ સૌથી મોટી અસર હોઈ શકે છે. હાલનો તણાવ સંપૂર્ણ વિકસિત યુદ્ધ તરફ પાછા ફરવાનો છે કે કટોકટી જે હજુ પણ કાબુમાં રાખી શકાય છે તે કહેવું હજુ વહેલું છે. આ અનિશ્ચિતતા તેલ બજારમાં પણ પ્રતિબિંબિત થઈ રહી છે. એક સમયે બ્રન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની સપાટી કૂદાવી ગયા હતા, જોકે પછીથી તે ઓછા થઈને લગભગ ૯૩ ડોલર પ્રતિ બેરલ થયા હતા.

રિપોર્ટ મુજબ, હાલમાં ત્રણ પરિબળો તેલ બજારને નિયંત્રણ બહાર જતા અટકાવી રહ્યા છે. પ્રથમ, અમેરિકા તેના વ્યૂહાત્મક તેલ ભંડારમાંથી રેકોર્ડ સ્તરનું તેલ મુક્ત કરી રહ્યું છે. બીજું, ચીને ક્રૂડ તેલની આયાતમાં થોડો ઘટાડો કર્યો છે. ત્રીજું, હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરીને સાઉદી અરેબિયાના યાનબુ બંદર દ્વારા દરરોજ આશરે ૫ મિલિયન બેરલ તેલ મોકલવામાં આવી રહ્યું છે.

અભ્યાસી વર્તુળો માને છે કે થોડા અઠવાડિયા પહેલા સુધી, અમેરિકા અને ઈરાન વચ્ચે સોદાની શક્યતા લગભગ ૪૦ ટકા હતી, પરંતુ હવે આ સંભાવના નબળી પડી ગઈ છે. રિપોર્ટ મુજબ, આવનારા દિવસો નિર્ણાયક રહેશે. આ દિવસો જાહેર કરશે કે વાટાઘાટો તણાવ ઘટાડશે કે સંઘર્ષ વધારશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી, છેલ્લા ત્રણ મહિનામાં વૈશ્વિક બજારમાં કુલ ૧ અબજ બેરલ ક્રૂડ ઓઇલ સપ્લાય પર અસર પડી છે. આ રકમ યુએસ વ્યૂહાત્મક તેલ ભંડારની કુલ ક્ષમતા કરતાં લગભગ અઢી ગણી છે. આ કારણે તેલ બજારમાં અસ્થિરતા વધી છે, અને રોકાણકારો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી યુદ્ધવિરામ મજબૂત ન થાય અથવા બંને પક્ષો વાટાઘાટોના ટેબલ પર પાછા ન આવે ત્યાં સુધી તેલના ભાવ ખૂબ જ અસ્થિર રહી શકે છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤