લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

મમતા બેનરજી મોટા ખેલની તૈયારીમાં, યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે | Mamata Banerjee Plans Lok Sabha Entry As Yusuf Pathan Refuses To Resign From Baharampur

by

Thenewsdk

Updated: 05-06-2026, 05.40 PM

Follow us:

મમતા બેનરજી મોટા ખેલની તૈયારીમાં, યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે | Mamata Banerjee Plans Lok Sabha Entry As Yusuf Pathan Refuses To Resign From Baharampur



Mamata Banerjee Plans Lok Sabha Entry : પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે મુર્શિદાબાદની રેજીનગર લોકસભા બેઠક પરથી યુસુફ પઠાણને રાજીનામું આપવા માટે કહ્યું છે. મમતાનું સપનું આ સીટ પર પેટાચૂંટણીમાં જીત મેળવીને લોકસભામાં જવાનું છે. મમતા ઈચ્છે છે કે, યુસુફ પઠાણ બહરામપુર સીટ ખાલી કરી દે અને તેઓ ત્યાંથી પેટાચૂંટણી લડે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ યુસુફ પઠાણે મમતા બેનર્જી માટે સીટ છોડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, તેમના જૂના સહયોગી હુમાયુ કબીરે તેમને એક મોટી ઓફર આપી છે.

હુમાયુ કબીરની ઓફર 

હુમાયુ કબીરે મમતા બેનર્જીને રેજીનગર બેઠક પરથી પેટાચૂંટણી લડવાની ઓફર કરી છે. મમતા બેનર્જી ભવાનીપુરથી શુભેન્દુ અધિકારી સામે હારી ગયા હતા. હુમાયુ કબીરે કહ્યું કે ‘હું ઈચ્છુ છુ કે મમતા બેનર્જી સ્ટેટ પોલિટિક્સમાં એક્ટિવ રહે. એટલે મારી એક સીટ મમતા બેનર્જી માટે ખાલી કરવા તૈયાર છું.’ તમને જણાવી દઈએ કે હુમાયુ કબીરે વિધાનસભા ચૂંટણી બે બેઠકો પરથી લડી હતી, અને બંને બેઠકો પર જીત મેળવી હતી, જેમાંથી એક રેજીનગર સીટ છે.

TMC માં બળવાનો ડર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં કારમી હાર બાદ TMC માં બળવો શરૂ થઈ ગયો છે. પાર્ટીના 60 ધારાસભ્યો બળવો કરી ચૂક્યા છે, અને તેમણે મમતાની વાતને બાજુ પર મૂકીને પોતાના વિરોધ પક્ષના નેતા ચૂંટી કાઢ્યા છે. અહેવાલ છે કે, TMCના 28 માંથી 20 ધારાસભ્યો, સાંસદો પણ બળવો કરી શકે છે. સંભવતઃ આ બળવાને રોકવા માટે જ મમતા લોકસભામાં જવા માંગે છે. જોકે, યુસુફે રાજીનામું આપવાની ના પાડી દીધી છે, જેનાથી મમતાની મુશ્કેલીઓ વધવાની છે.

શું કહે છે નિયમ?

મમતા બેનર્જીને સાંસદ (MP) બનવા માટે ચૂંટણી જીતવી પડશે. આ માટે તેમણે પોતાના કોઈ સાંસદની સીટ ખાલી કરાવવી પડશે. ત્યારબાદ 6 મહિનાની અંદર ત્યાં પેટાચૂંટણી યોજાશે. મમતા આ ચૂંટણી જીતીને સાંસદ બની શકે છે. જોકે, બહરામપુર સીટ પરથી જીત મેળવવી મમતા માટે સરળ નહીં હોય. તેઓ છેલ્લી 3 માંથી 2 ચૂંટણી હારી ચૂક્યા છે. બંને વખત તેમને શુભેન્દુ અધિકારીએ જ હરાવ્યા છે. 2026 માં સત્તા ગુમાવ્યા બાદ મમતા નબળા પડ્યા છે. આ સીટ પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી તેમને હરાવવાની ક્ષમતા ધરાવે છે. વળી, સત્તાધારી BJP પણ કોઈ દમદાર ઉમેદવાર ઉતારીને મમતાને ચૂંટણીમાં ફરીથી હરાવી શકે છે. એવામાં તેમના લોકસભા જવાનો રસ્તો અત્યંત મુશ્કેલ નજરે પડી રહ્યો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤