એન્ટરટેઇનમેન્ટ

Ramayana પર મોટો અપડેટ: રામનવમીના દિવસે મેકર્સનો મોટો ખુલાસો

by

Thenewsdk

Updated: 27-03-2026, 02.42 PM

Follow us:

Ramayana movie update : લગભગ છેલ્લા એક દાયકાથી બની રહેલી આ ફિલ્મની દરેક અપડેટની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા છે. આશા હતી કે રામનવમીના દિવસે ફિલ્મનો ફર્સ્ટ લુક અથવા કોઈ ટીઝર બહાર આવશે. એવી ખબર પણ આવી હતી કે મેકર્સ રામનવમી પર ફિલ્મની ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટ યોજવાનો પ્લાન કરી રહ્યા છે,

પરંતુ તેની કોઈ પાક્કી પુષ્ટિ ન મળતાં ફેન્સ થોડા નિરાશ થયા છે. હવે, રામનવમીનો દિવસ ખાલી ન જવા દેતા પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ એક મોટું અપડેટ આપ્યું છે.

પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ શુક્રવારે, રામનવમીના દિવસે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી. તેમણે જણાવ્યું કે 2 એપ્રિલે, હનુમાન જયંતિના પ્રસંગે, રામાયણનો ફર્સ્ટ લુક શેર કરવામાં આવશે. ‘શુભ રામનવમી’ થી શરૂઆત કરીને તેમણે આપેલી માહિતી સૂચવે છે કે મેકર્સ ફિલ્મના પાત્રોને ઓળખાવતા પ્રોમોઝ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

તેમણે લખ્યું, “આ એક એવી વાર્તા છે જે આપણાં બધાં સાથે જોડાયેલી છે અને અમે અમારી રામાયણને તેની અસલી ભાવના અને ભવ્યતા સાથે, ખૂબ જ જવાબદારી, શ્રદ્ધા અને કાળજી સાથે સ્ક્રીન પર લાવવા પ્રયત્ન કર્યો છે. અમે 2 એપ્રિલે હનુમાન જયંતીના શુભ અવસર પર અમારી ફિલ્મ ‘રામ’ ની આગામી ઝલક શેર કરવા માટે ઉત્સાહિત છીએ.

અમે એક ભવ્ય લોન્ચ સાથે વિશ્વભરના ચાહકો સમક્ષ વર્ષોની મહેનત રજૂ કરવાની સફર શરૂ કરવા માટે તૈયાર છીએ. તમારા પ્રેમ, વિશ્વાસ અને ધીરજ બદલ આભાર.

દુનિયાની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક

રામાયણનો પહેલો ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ 2027માં રિલીઝ થશે. નમિતે પહેલેથી જ ખુલાસો કર્યો છે કે, આ પ્રોજેક્ટ લગભગ 4000 કરોડ રૂપિયામાં બની રહ્યો છે. આ વિશાળ બજેટ રામાયણને માત્ર ભારત જ નહીં, પણ દુનિયાની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક બનાવે છે.

મોશન કૅપ્ચર અને ગ્રાફિક્સની મદદથી ડિરેક્ટર નિતેશ તિવારીએ રામાયણને એટલા ભવ્ય સ્તરે રજૂ કરવાનું વિઝન બનાવ્યું છે, જેમ આપણે પૌરાણિક વાર્તાઓ વાંચતાં કલ્પના કરીએ છીએ. તેથી ડેવલપમેન્ટ ફેઝથી લઈને દરેક તબક્કે ફેન્સમાં આ ફિલ્મ અંગે ભારે ઉત્સાહ રહ્યો છે.

કોણ કયું પાત્ર ભજવશે?

રામાયણમાં ભગવાન રામનું પાત્ર રણબીર કપૂર ભજવશે. માતા સીતાના રોલમાં સાઈ પલ્લવી, લક્ષ્મણ તરીકે રવિ દુબે અને સંકટમોચન હનુમાન તરીકે સની દેઓલ નજર આવશે. રાવણના પાત્રમાં KGF સ્ટાર યશની પસંદગી ફિલ્મની મોટી ખાસિયત ગણાય છે.

આ ફિલ્મની રાહ ફેન્સ લાંબા સમયથી જોઈ રહ્યા છે, હવે હનુમાન જયંતિ પણ વધારે દૂર નથી. હવે માત્ર એટલું જ જોવાનું છે કે નિતેશ તિવારીની રામાયણની પહેલી ઝલક ફેન્સની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે?

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.