લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

તળાજા પંથકમાં 58 મેડિકલ સ્ટોર સજ્જડ બંધ, આવેદનપત્ર પાઠવ્યું | 58 medical stores strictly closed in Talaja parish complaint letter submitted

by

Thenewsdk

Updated: 21-05-2026, 07.55 AM

Follow us:

તળાજા પંથકમાં 58 મેડિકલ સ્ટોર સજ્જડ બંધ, આવેદનપત્ર પાઠવ્યું | 58 medical stores strictly closed in Talaja parish complaint letter submitted



ઈમરજન્સી
માટે બે મેડિકલ સ્ટોરને ખુલ્લા રાખવામાં આવ્યા

ઈ-ફાર્મસી
બંધ કરાવવા અને ઓનલાઈન દવાના વેચાણ પર નિયંત્રણ લાદવાની માંગ

તળાજા – 
ઈ-ફાર્મસી બંધ કરાવવા અને ઓનલાઈન દવાના વેચાણ પર કડક
નિયંત્રણ લાદવાની માંગણી સાથે દેશભરમાં અપાયેલા બંધના એલાનને તળાજાના મેડિકલ સ્ટોર
ધારકોએ સંપૂર્ણ ટેકો આપી પંથકના હોલસેલ સહિત ૫૮ મેડિકલ સ્ટોર સજ્જડ બંધ રાખ્યા
હતા. આ સાથે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવાયું હતું.

તળાજા
તાલુકામાં હોલસેલના પાંચ મળી કુલ ૬૦ મેડિકલ સ્ટોર્સ આવેલા છે. આ તમામ મેડિકલ સ્ટોર
ધારકોએ આજે બુધવારે દુકાનો બંધ રાખી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અંગે
મેડિકલ સ્ટોર એસો.ના પ્રમુખે જણાવ્યું હતું કે
, ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં
આવે
, કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતા વધુ ડિસ્કાઉન્ટ
અને વેપાર પ્રથા પર નિયંત્રણ મુકાઈ તેવી માંગણી ઉચ્ચારવામાં આવી હતી. ઈમરજન્સીના
સમયમાં કોઈ દર્દીને મુશ્કેલી ન પડે તે માટે તળાજામાં બે મેડિકલ સ્ટોરને ખુલ્લા
રાખવામાં આવ્યા હતા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤